પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મન કી બાત માટે વિચારોને આમંત્રણ આપ્યું

Posted On: 08 APR 2022 9:11AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતના આગામી એપિસોડ માટે લોકોને તેમના માટે મહત્ત્વપૂર્ણ વિષયો અને મુદ્દાઓ પરના વિચારો શેર કરવા આમંત્રણ આપ્યું છે. MyGov, નમો એપ દ્વારા વિચારો શેર કરી શકાય છે અથવા મેસેજ રેકોર્ડ કરવા માટે 1800-11-7800 નંબર ડાયલ કરી શકાય છે.

મન કી બાતનો 88મો એપિસોડ 24મી એપ્રિલ 2022ના રોજ યોજાશે.

MyGov આમંત્રણને શેર કરીને પ્રધાનમંત્રીએ ટ્વીટ કર્યું;

"#MannKiBaat દ્વારા અમે પાયાના સ્તરે પરિવર્તન કરનારાઓના અસાધારણ પરાક્રમોની ઉજવણી કરીએ છીએ. શું તમે આવી પ્રેરણાદાયી જીવન યાત્રાઓ વિશે જાણો છો? 24મીએ મહિનાના કાર્યક્રમ માટે તેમને શેર કરો. સંદેશ રેકોર્ડ કરવા માટે MyGov, NaMo એપ પર લખો અથવા 1800-11-7800 ડાયલ કરો."

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1814707) Visitor Counter : 202