પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં બસ દુર્ઘટનામાં થયેલી જાનહાનિ પર શોક વ્યક્ત કર્યો; પીડિતો માટે PMNRF તરફથી એક્સ-ગ્રેશિયા મંજૂર કર્યા

Posted On: 27 MAR 2022 12:41PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આંધ્ર પ્રદેશના ચિત્તૂરમાં થયેલી એક દુ:ખદ બસ દુર્ઘટનામાં જીવ ગુમાવનારાએ પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે.

પ્રધાનમંત્રીએ મૃતકના નજીકના સંબંધીઓને 2 લાખ રૂ.ની અને અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને 50,000 રૂ. પ્રાઇમ મિનિસ્ટર નેશનલ રિલીફ ફંડ (PMNRF)માંથી એક્સ-ગ્રેશિયા પણ મંજૂર કર્યા છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું;

"આંધ્રના ચિત્તૂરમાં એક દુ:ખદ બસ અકસ્માતમાં જાનહાનીથી વ્યથિત છું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના. હું આશા રાખું છું કે ઈજાગ્રસ્તો જલ્દી સ્વસ્થ થઈ જાય.

મૃતકના નજીકના સંબંધીઓને PMNRF તરફથી રૂ. 2 લાખ અને ઘાયલોને રૂ. 50,000 આપવામાં આવશેઃ PM @narendramodi"

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1810181) Visitor Counter : 164