સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

અમદાવાદમાં તા. ૧ માર્ચ ૨૦૨૨, મંગળવારના રોજ ‘જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રા’નું આયોજન


જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રાનો નાગરીકોમાં જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો મુખ્ય હેતુ

Posted On: 27 FEB 2022 2:18PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ગરીબોને સસ્તી અને ગુણવત્તાયુક્ત દવા મળી રહે તે માટે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના શરૂ કરવામાં આવી છે. યોજના દ્વારા નાગરિકોને ૫૦% થી ૯૦% સુધી દવાઓ સસ્તી મળી રહી છે. તા.૭મી માર્ચજનઔષધિદિવસ તરીકે મનાવવામાં આવે છે, જે હેઠળ વર્ષે તા. માર્ચ થી માર્ચ સુધીજનઔષધિ સપ્તાહતરીકે દેશભરમાં ઉજવવાનું નક્કી કર્યું છે.

જનઔષધિ સપ્તાહના પ્રથમ દિવસ તા. માર્ચ ૨૦૨૨, મંગળવારના રોજજનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રાનું આયોજન કરવામાં આવેલ છે, જે કાંકરિયા તળાવ, ગેટ નં- પાસેથી સવારે .૦૦ વાગ્યે શરૂ થઈ કી.મી. પદયાત્રા કરીને પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર ખાતે આવી પહોંચશે. જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રાનો મુખ્ય હેતુ નાગરીકોમાં જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે. જેનાથી વધુમાં વધું લોકો યોજનાનો લાભ લઇ સસ્તી અને ગુણવત્તાયુક્ત દવાઓ મેળવે. પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર ખાતેટેલી-મેડીસીનસેવાનો લાભ પણ લઇ શકે છે.

પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ કેન્દ્ર-મણીનગર દ્વારા જનઔષધિ સંકલ્પ યાત્રા-જનયાત્રામાં સામેલ થવા અને જનઔષધિ દવાઓ પ્રત્યે જાગૃતિ ફેલાવવા સર્વે નાગરિકોને આમંત્રણ છે.

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    
(Release ID: 1801583) Visitor Counter : 204