પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી હેમાનંદ બિસ્વાલના નિધન પર શોક વ્યક્ત કર્યો

Posted On: 25 FEB 2022 10:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પૂર્વ મુખ્યમંત્રી શ્રી હેમાનંદ બિસ્વાલના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રી શ્રીએ કહ્યું;

"ઓડિશાના ભૂતપૂર્વ સીએમ શ્રી હેમાનંદ બિસ્વાલજીના નિધનથી દુઃખી છું. તેઓ ઘણા વર્ષોથી જાહેર જીવનમાં સક્રિય હતા અને લોકોમાં વ્યાપકપણે કામ કર્યું હતું. આ દુઃખદ ઘડીમાં, મારા વિચારો તેમના પરિવાર અને સમર્થકો સાથે છે. ઓમ શાંતિ."

SD/GP/JD



(Release ID: 1801222) Visitor Counter : 188