પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર નમન કર્યા

Posted On: 19 FEB 2022 8:51AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર શ્રદ્ધાંજલિ આપી છે. પ્રધાનમંત્રી એમ પણ કહ્યું છે કે તેમનું ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સામાજિક કલ્યાણ પર ભાર પેઢીઓથી લોકોને પ્રેરણા આપે છે.

એક ટ્વિટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું;

"હું છત્રપતિ શિવાજી મહારાજને તેમની જયંતી પર નમન કરું છું. તેમનું ઉત્કૃષ્ટ નેતૃત્વ અને સમાજ કલ્યાણ પરનો ભાર પેઢીઓથી લોકોને પ્રેરણા આપી રહ્યો છે. જ્યારે સત્ય અને ન્યાયના મૂલ્યો માટે ઊભા રહેવાની વાત આવે ત્યારે તેઓ કોઈ પણ સમજૂતી કરતા નહતા. અમે તેમના વિઝનને સાકાર કરવા માટે પ્રતિબદ્ધ છીએ. "

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1799513) Visitor Counter : 147