સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું સંચિત કોવિડ-19 રસીકરણ કવરેજ લગભગ 124.10 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 80.98 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

સાજા થવાનો દર હાલમાં 98.36%

છેલ્લા 24 કલાકમાં 8,954 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (99,023), 547 દિવસ બાદ એક લાખથી ઓછા

સાપ્તાહિક પોઝિટિવિટી દર (0.84%) 17 દિવસથી 1% કરતા ઓછો

Posted On: 01 DEC 2021 9:48AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 80,98,716 રસી ડોઝના વહીવટ સાથે, ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 124.10 કરોડ (1,24,10,86,850) ના સીમાચિહ્ન આંકને વટાવી ગયું છે. સવારે 7 વાગ્યાના કામચલાઉ ડેટા મુજબ, 1,28,94,826 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાનું વિભાજન:

 

 

HCWs

પ્રથમ ડોઝ

1,03,83,861

બીજો ડોઝ

94,97,716

 

FLWs

પ્રથમ ડોઝ

1,83,79,105

બીજો ડોઝ

1,65,00,848

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

45,94,92,943

બીજો ડોઝ

22,56,54,139

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

18,49,49,869

બીજો ડોઝ

12,10,09,097

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

11,58,23,193

બીજો ડોઝ

7,93,96,079

કુલ

1,24,10,86,850

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,40,28,506 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 10,207 દર્દીઓ સાજા થયા છે.

આના કારણે એકંદરે સાજા થવાનો દર 98.36% થયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002AYXL.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 8,954 નવા કેસ નોંધાયા છે.

157 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MB3Q.jpg

સક્રિય કેસનું ભારણ 547 દિવસ બાદ એક લાખથી ઓછું છે, હાલમાં 99,023 છે. હાલમાં સક્રિય કેસો દેશના કુલ પોઝિટિવ કેસોના 0.29% છે, જે માર્ચ 2020 પછી સૌથી ઓછા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0043EWN.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,08,467 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 64.24 કરોડથી વધારે (64,24,12,315) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 0.84% છે જે છેલ્લા 17 દિવસથી 1%થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 0.81% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 58 દિવસથી 2%થી ઓછો છે અને સળંગ 93 દિવસથી આ દર 3%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005AKYC.jpg

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1776714) Visitor Counter : 220