પ્રધાનમંત્રીનું કાર્યાલય
azadi ka amrit mahotsav

પ્રધાનમંત્રીશ્રી સિડની સંવાદમાં મુખ્ય ભાષણ આપશે

પોસ્ટેડ ઓન: 17 NOV 2021 7:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18મી નવેમ્બર, 2021ના રોજ IST સવારે 9 વાગ્યે સિડની સંવાદમાં મુખ્ય ભાષણ આપશે. તેઓ ભારતની ટેક્નોલોજી ઉત્ક્રાંતિ અને ક્રાંતિની થીમ પર વક્તવ્ય આપશે, જેના પહેલા ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી દ્વારા પરિચયાત્મક ટિપ્પણી આપવામાં આવશે.

સિડની ડાયલોગ 17-19 નવેમ્બર, 2021 દરમિયાન યોજાઈ રહ્યો છે. તે ઑસ્ટ્રેલિયન વ્યૂહાત્મક નીતિ સંસ્થાની પહેલ છે. તે રાજકીય, વ્યાપારી અને સરકારી નેતાઓને ચર્ચા કરવા, નવા વિચારો પેદા કરવા અને ઉભરતી અને નિર્ણાયક તકનીકો દ્વારા ઊભી થતી તકો અને પડકારોની સામાન્ય સમજણ તરફ કામ કરવા માટે એકસાથે લાવશે. આ કાર્યક્રમમાં ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રીશ્રી સ્કોટ મોરીસન અને જાપાનના પૂર્વ પ્રધાનમંત્રીશ્રી શિન્ઝો આબે પણ મુખ્ય ભાષણ આપશે.

SD/GP/JD


(રીલીઝ આઈડી: 1772783) મુલાકાતી સંખ્યા : 245