પ્રધાનમંત્રીનું કાર્યાલય
પ્રધાનમંત્રી 16મી નવેમ્બરે યુપીની મુલાકાત લેશે અને પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે
પ્રધાનમંત્રી સુલતાનપુર જિલ્લામાં એક્સપ્રેસ વે પર બનેલી 3.2 કિમી લાંબી એરસ્ટ્રીપ પર એરશોના પણ સાક્ષી બનશે
प्रविष्टि तिथि:
15 NOV 2021 11:07AM by PIB Ahmedabad
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બર, 2021ના રોજ ઉત્તર પ્રદેશની મુલાકાત લેશે અને સુલતાનપુર જિલ્લાના કરવલ ખેરી ખાતે બપોરે 1:30 વાગ્યે પૂર્વાંચલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરશે.
ઉદ્ઘાટન પછી, વડા પ્રધાન કટોકટીની સ્થિતિમાં ભારતીય વાયુસેનાના લડાયક વિમાનોના લેન્ડિંગ/ટેક-ઓફને સક્ષમ કરવા માટે સુલતાનપુર જિલ્લામાં એક્સપ્રેસવે પર બાંધવામાં આવેલી 3.2 કિમી લાંબી એરસ્ટ્રીપ પર ભારતીય વાયુસેના દ્વારા એર શોના સાક્ષી પણ બનશે.
પૂર્વાંચલ એક્સપ્રેસ વે 341 કિલોમીટર લાંબો છે. તે લખનૌ-સુલતાનપુર રોડ (એનએચ-731) પર સ્થિત ગામ ચૌદસરાઈ, જિલ્લો લખનૌથી શરૂ થાય છે અને યુપી-બિહાર સરહદથી 18 કિમી પૂર્વમાં નેશનલ હાઈવે નંબર 31 પર સ્થિત હૈદરિયા ગામ પર સમાપ્ત થાય છે. એક્સપ્રેસ વે 6-લેન પહોળો છે જેને ભવિષ્યમાં 8-લેન સુધી વધારી શકાય છે. આશરે રૂ. 22500 કરોડના અંદાજિત ખર્ચે બાંધવામાં આવેલો, પૂર્વાંચલ એક્સપ્રેસ વે ઉત્તર પ્રદેશના પૂર્વ ભાગ ખાસ કરીને લખનૌ, બારાબંકી, અમેઠી, અયોધ્યા, સુલતાનપુર, આંબેડકર નગર, આઝમગઢ, મઉ અને ગાઝીપુર જિલ્લાના આર્થિક વિકાસને વેગ આપશે.
SD/GP/NP
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(रिलीज़ आईडी: 1771844)
आगंतुक पटल : 335
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam