પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 16 નવેમ્બરના રોજ પ્રથમ ઓડિટ દિવસની ઉજવણી નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે

Posted On: 15 NOV 2021 11:06AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 16મી નવેમ્બર, 2021ના રોજ સવારે 10:30 વાગ્યે કેગ ઓફિસ પરિસરમાં પ્રથમ ઓડિટ દિવસ નિમિત્તે કાર્યક્રમને સંબોધન કરશે. પ્રધાનમંત્રી આ પ્રસંગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરશે.

કેગની સંસ્થાના ઐતિહાસિક ઉદ્દભવ અને છેલ્લા ઘણા વર્ષોમાં તેણે શાસન, પારદર્શિતા અને જવાબદારીમાં આપેલા યોગદાનને ચિહ્નિત કરવા ઓડિટ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

આ પ્રસંગે ભારતના કેગ પણ હાજર રહેશે.

 

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1771843) Visitor Counter : 244