પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આચાર્ય કૃપલાનીને તેમની જયંતિ પર યાદ કર્યા

Posted On: 11 NOV 2021 9:19AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં આપેલા યોગદાન બદલ આચાર્ય કૃપલાનીને યાદ કર્યા. આચાર્ય કૃપલાનીની આજે જયંતિ પર, પ્રધાનમંત્રીએ આપણા રાષ્ટ્ર માટે તેમના મહાન વિઝન અને પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક સશક્તિકરણમાં તેમના યોગદાન માટે તેમની પ્રશંસા કરી હતી.

 

પ્રધાનમંત્રીએ ટ્વિટ કર્યું: આચાર્ય કૃપલાની બાપુના નેતૃત્વમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં મોખરે હતા. તેમની પાસે આપણા રાષ્ટ્ર માટે એક મહાન વિઝન હતું અને તેમણે સાંસદ તરીકે તેને પૂર્ણ કરવા માટે કામ કર્યું હતું. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને સામાજિક સશક્તિકરણમાં ઘણું યોગદાન આપ્યું હતું. તેમની જયંતિ પર તેમને યાદ કરીએ.

SD/GP/NP

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1770828) Visitor Counter : 230