સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 95.89 કરોડને પાર


છેલ્લા 24 કલાકમાં 65.86 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે

સાજા થવાનો દર હાલમાં 98.04%, માર્ચ 2020 પછી સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 14,313 નવા કેસ

ભારતમાં સક્રિય કેસનું ભારણ (2,14,900), કુલ કેસનાં 0.63%

સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.48%) 109 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 12 OCT 2021 9:42AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં 65,86,092 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 95.89 કરોડ (95,89,78,049) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 93,66,392 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.

આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,75,424

બીજો ડોઝ

90,36,583

FLWs

પ્રથમ ડોઝ

1,83,59,259

બીજો ડોઝ

1,53,98,857

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

38,68,20,261

બીજો ડોઝ

10,40,73,546

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

16,61,56,424

બીજો ડોઝ

8,38,76,362

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

10,48,69,202

બીજો ડોઝ

6,00,12,131

કુલ

95,89,78,049

 

કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,33,20,057 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 26,579 દર્દીઓ સ્વસ્થ થયા છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 98.04% સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001G6L9.jpg

107 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

છેલ્લા 24 કલાકમાં 14,313 નવા કેસ નોંધાયા. 224 દિવસમાં નોંધાયેલ આ સૌથી ઓછા દૈનિક નવા કેસ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CV5R.jpg

સક્રિય કેસનું ભારણ આજે 2,14,900 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.63% છે. 212 દિવસમાં સૌથી ઓછું નોંધાયું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003CBA0.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,81,766 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 58.50 કરોડથી વધારે (58,50,38,043) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

જ્યારે દેશભરમાં પરીક્ષણ ક્ષમતા વધારવામાં આવી છે, 1.48% પર સાપ્તાહિક સકારાત્મકતા દર છેલ્લા 109 દિવસથી 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.21% નોંધાયો છે. છેલ્લા 43 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 3% થી નીચે અને સતત 126 દિવસો માટે 5% ની નીચે રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0046H9Y.jpg

SD/GP/BT



(Release ID: 1763141) Visitor Counter : 182