સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 87 કરોડના સીમાચિન્હને પાર
છેલ્લા 24 કલાકમાં 1.02 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા
સાજા થવાનો દર હાલમાં 97.81%, માર્ચ 2020 પછી સૌથી વધુ
201 દિવસ પછી 20,000 કરતા ઓછા દૈનિક નવા કેસ; છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ
ભારતમાં સક્રિય કેસનું ભારણ (2,92,206), કુલ કેસનાં 0.87%
સાપ્તાહિક પોઝિટિવિટી દર (1.88%) 95 દિવસથી 3% કરતા ઓછો
Posted On:
28 SEP 2021 9:58AM by PIB Ahmedabad
છેલ્લા 24 કલાકમાં 1,02,22,525 વેક્સિન ડોઝના વહીવટ સાથે, દેશનું કોવિડ-19 રસીકરણ કવરેજ આજે સવારે 7 વાગ્યા સુધીના કામચલાઉ અહેવાલો અનુસાર 87 કરોડ (87,07,08,636) ના સંચિત આંકડાને વટાવી ગયું છે. આ 84,62,957 સત્રો દ્વારા પ્રાપ્ત થયું છે.
આજે સવારે 7 વાગ્યા સુધી કામચલાઉ અહેવાલ મુજબ સંચિત આંકડાઓના વિભાજનમાં નીચેનાનો સમાવેશ થાય છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,03,72,006
|
બીજો ડોઝ
|
88,53,567
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,83,50,151
|
બીજો ડોઝ
|
1,48,83,125
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
35,28,56,642
|
બીજો ડોઝ
|
7,71,77,130
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
15,76,57,008
|
બીજો ડોઝ
|
7,49,24,270
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
10,03,78,855
|
બીજો ડોઝ
|
5,52,55,882
|
કુલ
|
87,07,08,636
|
કેન્દ્ર સરકાર ઝડપ વધારવા અને સમગ્ર દેશમાં COVID-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે.
રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,29,58,002 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 26,030 દર્દીઓ સ્વસ્થ થયા છે.
અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.81% સુધી પહોંચી ગયો છે. રિકવરી રેટ હાલમાં માર્ચ 2020 પછીની સર્વોચ્ચ ટોચ પર છે.
93 દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.
ભારતમાં 201 દિવસ પછી 20,000 કરતા ઓછા દૈનિક નવા કેસ; છેલ્લા 24 કલાકમાં 18,795 નવા કેસ નોંધાયા.
સક્રિય કેસનું ભારણ આજે 2,92,206 છે. સક્રિય કેસ કુલ કેસનાં 0.87% છે. 192 દિવસમાં સૌથી ઓછું નોંધાયું.
સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,21,780 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 56.57 કરોડથી વધારે (56,57,30,031) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે.
દેશભરમાં પરીક્ષણ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, ત્યારે છેલ્લા 95 દિવસોથી 1.88% પર સાપ્તાહિક સકારાત્મકતા દર 3% કરતા ઓછો રહે છે. દૈનિક સકારાત્મકતા દર 1.42% છે. છેલ્લા 29 દિવસથી 3% કરતા ઓછો અને સતત 112 દિવસો માટે દૈનિક સકારાત્મકતા દર 5% થી નીચે રહ્યો છે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો : @PIBAhmedabad /pibahmedabad1964 /pibahmedabad pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1758832)
Visitor Counter : 250