પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 18 સપ્ટેમ્બરના રોજ ગોવામાં આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

Posted On: 17 SEP 2021 4:34PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 18 સપ્ટેમ્બર, 2021ના રોજ સવારે 10:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા ગોવામાં પુખ્ત વસ્તી માટે 100% પ્રથમ ડોઝ કવરેજ પૂર્ણ કરવા નિમિત્તે આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને કોવિડ રસીકરણ કાર્યક્રમના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે.

રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોના પરિણામસ્વરૂપે સફળ રસીકરણ કવરેજમાં સમુદાયની એકત્રીકરણ અને ગ્રાસરૂટ આઉટરીચ માટે ક્રમિક ટીકા ઉત્સવનું સંગઠન, કાર્યસ્થળો પર રસીકરણ જેવા પ્રાથમિકતા જૂથો માટે લક્ષિત રસીકરણ, વૃદ્ધાશ્રમ, દિવ્યાંગજનો વગેરે કાર્યસ્થળો પર રસીકરણ જેવા પ્રાથમિકતા જૂથો માટે લક્ષિત રસીકરણ, અન્યો વચ્ચે શંકાઓ અને આશંકાઓ દૂર કરવા માટે સતત સમુદાય જોડાણનો સમાવેશ થાય છે. ઝડપથી રસીકરણ કવરેજ સુનિશ્ચિત કરવા માટે રાજ્યએ ચક્રવાત ટૌક્ટે જેવા પડકારોનો પણ સામનો કર્યો.

આ પ્રસંગે ગોવાના મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

 

SD/GP/BT



(Release ID: 1755769) Visitor Counter : 192