જળશક્તિ મંત્રાલય

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ 2021 9 સપ્ટેમ્બર, 2021ના રોજ શરૂ કરવામાં આવશે


SSG દેશભરમાં ODF હસ્તક્ષેપો અને પરિણામોની ગતિને સમર્થન આપશે

દેશભરના 698 જિલ્લાઓના 17,475 ગામોને SSG, 2021 હેઠળ આવરી લેવાશે

Posted On: 08 SEP 2021 1:19PM by PIB Ahmedabad

સ્વચ્છ ભારત મિશન ફેઝ -2 અંતર્ગત સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ, 2021 આવતીકાલે 9 સપ્ટેમ્બર, 2021ના રોજ શરૂ કરવામાં આવશે. 'આઝાદી કા અમૃત મહોત્સવ'ના ભાગરૂપે સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણનો હેતુ દેશમાં ODF હસ્તક્ષેપો અને પરિણામોને વેગ આપવાનો છે. સર્વેક્ષણ 2021 હાથ ધરવા માટે એક નિષ્ણાત એજન્સીની નિમણૂક કરવામાં આવી છે. સર્વેક્ષણના ભાગરૂપે, ગામો, જિલ્લાઓ અને રાજ્યોને મુખ્ય પરિમાણોનો ઉપયોગ કરીને ક્રમાંકિત કરવામાં આવશે.

Image

સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણના ભાગરૂપે દેશભરના 698 જિલ્લાઓના 17,475 ગામોને આવરી લેવામાં આવશે. આ ગામોમાં 87,250 જાહેર સ્થળો એટલે કે શાળાઓ, આંગણવાડીઓ, જાહેર આરોગ્ય કેન્દ્રો, હાટ/બજાર/ધાર્મિક સ્થળોની સર્વેક્ષણ માટે મુલાકાત લેવામાં આવશે. SBM સંબંધિત મુદ્દાઓ પર તેમના પ્રતિસાદ માટે લગભગ 1,74,750 પરિવારોની મુલાકાત લેવામાં આવશે. ઉપરાંત, નાગરિકોને આ હેતુ માટે વિકસિત એપ્લિકેશનનો ઉપયોગ કરીને ઓનલાઇન સ્વચ્છતા સંબંધિત મુદ્દાઓ પર પ્રતિસાદ આપવા માટે પ્રેરિત કરવામાં આવશે.

Image

પીવાના પાણી અને સ્વચ્છતા વિભાગ (DDWS) એ "સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ (SSG)"- 2018 અને 2019 માં શરૂ કર્યું હતું. એ ઉલ્લેખનીય છે કે SSG એ માત્ર એક રેન્કિંગ કવાયત નથી પરંતુ જનંદોલન (લોકોનું આંદોલન) બનાવવા માટેનું એક વાહન છે. મુખ્ય ગુણવત્તા અને માત્રાત્મક પરિમાણો પર તેમની કામગીરીના આધારે જિલ્લાઓની રેન્કિંગને માર્ગદર્શન આપવા માટે વિગતવાર પ્રોટોકોલ વિકસાવવામાં આવ્યો છે.

SSG 2021ના વિવિધ તત્વોનો ભાર નીચે મુજબ છે:

  • જાહેર સ્થળો પર સ્વચ્છતાનું સીધું નિરીક્ષણ -30%
  • નાગરિકો પ્રતિસાદ, જેમાં નાગરિકો તરફથી ઓનલાઇન પ્રતિસાદ, ગ્રામ્ય સ્તરે મુખ્ય પ્રભાવકો અને મોબાઇલ એપ્લિકેશનોનો ઉપયોગ કરતા નાગરિકો -35%
  • સ્વચ્છતા સંબંધિત પરિમાણો પર સેવા સ્તરની પ્રગતિ -35%

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1753101) Visitor Counter : 398