સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે છેલ્લા 24 કલાકમાં 88.13 લાખથી વધુ લોકોને રસી આપવાની સાથે એક જ દિવસમાં સૌથી વધુ રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો


રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 55 કરોડને પાર

સાજા થવાનો દર હાલમાં (97.51%) માર્ચ 2020 બાદ સૌથી વધુ

છેલ્લા 24 કલાકમાં 25,166 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,69,846), 146 દિવસમાં સૌથી ઓછું

સક્રિય કેસ કુલ કેસનાં 1.15% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા

દૈનિક પોઝિટિવિટી દર (1.61%) 22 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 17 AUG 2021 10:31AM by PIB Ahmedabad

ભારતે તેના રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાનના ભાગરૂપે છેલ્લા 24 કલાકમાં 88.13 લાખથી વધુ ડોઝ આપ્યા છે. રસીકરણ અભિયાન શરૂ થયા બાદ એક જ દિવસમાં સૌથી વધુ રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો. તેની સાથે જ ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 55 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 62,12,108 સત્રોનું આયોજન કરીને રસીના 55,47,30,609 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

1,03,50,941

1,03,50,941

81,20,754

81,20,754

FLWs

1,82,86,002

1,82,86,002

1,22,44,940

1,22,44,940

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

20,20,24,963

20,20,24,963

1,61,02,484

1,61,02,484

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

11,87,86,699

11,87,86,699

4,64,06,915

4,64,06,915

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

8,17,46,204

8,17,46,204

4,06,60,707

4,06,60,707

કુલ

55,47,30,609

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.51% સુધી પહોંચી ગયો છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,14,48,754 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 36,830 દર્દીઓ સ્વસ્થ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001ZXUP.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 25,166 નવા કેસ નોંધાયા છે. 154 દિવસમાં સૌથી ઓછા કેસ નોંધાયા.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020FQG.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,69,846 છે. 146 દિવસમાં સૌથી ઓછુ નોંધાયું, સક્રિય કેસ કુલ કેસનાં 1.15% થયા, માર્ચ 2020 બાદ સૌથી ઓછા નોંધાયા.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003NTY4.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 15,63,985 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 49.66 કરોડથી વધારે (49,66,29,524) પરીક્ષણો કરવામાં આવ્યા છે.  

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 1.98% છે જે છેલ્લા 53 દિવસથી 3% થી ઓછો છે, જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 1.61% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 22 દિવસથી 3% થી ઓછો અને 71 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00425VN.jpg

SD/GP/BT

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1746587) Visitor Counter : 253