સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ 54.58 કરોડને પાર


સાજા થવાનો દર 97.48%

છેલ્લા 24 કલાકમાં 32,937 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ (3,81,947) કુલ કેસના 1.18%

દૈનિક પોઝિટિવિટી દર (2.79%) 21 દિવસથી 3% કરતા ઓછો

Posted On: 16 AUG 2021 10:55AM by PIB Ahmedabad

ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 54.58 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 61,54,235 સત્રોનું આયોજન કરીને રસીના 54,58,57,108 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 17,43,114 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

1,03,50,751

બીજો ડોઝ

81,00,615

FLWs

પ્રથમ ડોઝ

1,82,78,787

બીજો ડોઝ

1,21,73,133

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

19,68,99,466

બીજો ડોઝ

1,54,10,416

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

11,73,89,912

બીજો ડોઝ

4,57,91,230

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

8,11,53,834

બીજો ડોઝ

4,03,08,964

કુલ

54,58,57,108

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

અન્ય સકારાત્મક વિકાસમાં, ભારતનો રિકવરી રેટ છેલ્લા 24 કલાકમાં 97.48% સુધી પહોંચી ગયો છે.

રોગચાળાની શરૂઆતથી ચેપગ્રસ્ત લોકોમાંથી, 3,14,11,924 લોકો પહેલેથી જ કોવિડ-19 માંથી સ્વસ્થ થઈ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 35,909 દર્દીઓ સ્વસ્થ થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001WV5K.jpg

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 32,937 નવા કેસ નોંધાયા છે.

પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002FY85.jpg

સક્રિય કેસનું ભારણ આજે 3,81,947 છે. સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.18% છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0034J31.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,81,212 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 49.48 કરોડથી વધારે (49,48,05,652) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.01% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.79% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર છેલ્લા 21 દિવસથી 3% થી ઓછો અને 70 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0045K5M.jpg

SD/GP/BT

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1746273) Visitor Counter : 278