પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ તબીબી અભ્યાસક્રમોમાં ઓબીસી અને આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના નિર્ણયની પ્રશંસા કરી

Posted On: 29 JUL 2021 4:54PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27% તથા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના સિમાચિહ્નરૂપ નિર્ણયની પ્રશંસા કરી હતી.

પ્રધાનમંત્રીએ શ્રેણીબદ્ધ ટ્વીટ્સમાં કહ્યું;

અમારી સરકારે ચાલુ શૈક્ષણિક વર્ષથી મેડિકલ/ડેન્ટલ અભ્યાસક્રમોમાં અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ માટે અખિલ ભારતીય ક્વોટા યોજનામાં ઓબીસી માટે 27% તથા આર્થિક રીતે નબળા વર્ગ માટે અનામત આપવાના સરકારના સિમાચિહ્નરૂપ નિર્ણય લીધો છે.

આ નિર્ણયથી દર વર્ષે આપણા હજારો યુવાનોને વધુ ઉત્તમ તકો પ્રાપ્ત કરવામાં મદદ મળશે અને તેનાથી આપણા દેશના સામાજિક ન્યાયનું નવું ઉદાહરણ બનશે.”

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1740372) Visitor Counter : 261