સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
રાષ્ટ્રીય સંચિત કોવિડ -19 રસીકરણ કવરેજ મહત્વપૂર્ણ સિદ્ધિ સાથે 42 કરોડને પાર
સાજા થવાનો દર વધીને 97.36% થયો
છેલ્લા 24 કલાકમાં 35,342 દૈનિક નવા કેસ નોંધાયા
ભારતમાં સક્રિય કેસનું ભારણ ઘટીને 4,05,513; કુલ કેસના 1.30%
દૈનિક સકારાત્મકતા દર (2.12%) સળંગ 32 દિવસથી 3% કરતા ઓછો
Posted On:
23 JUL 2021 11:13AM by PIB Ahmedabad
ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 42 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 51,94,364 સત્રોનું આયોજન કરીને રસીના 42,34,17,030 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 54,76,423 ડોઝ આપવામાં આવ્યા છે.
આમાં સામેલ છે:
HCWs
|
પ્રથમ ડોઝ
|
1,02,80,416
|
બીજો ડોઝ
|
76,51,103
|
FLWs
|
પ્રથમ ડોઝ
|
1,78,34,482
|
બીજો ડોઝ
|
1,06,40,254
|
18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
13,33,04,056
|
બીજો ડોઝ
|
55,55,468
|
45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ
|
પ્રથમ ડોઝ
|
9,95,79,752
|
બીજો ડોઝ
|
3,25,92,396
|
60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી
|
પ્રથમ ડોઝ
|
7,29,46,445
|
બીજો ડોઝ
|
3,30,32,658
|
કુલ
|
42,34,17,030
|
21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.
મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,04,68,079 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 38,740 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.36% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 35,342 નવા કેસ નોંધાયા છે.
પંદર દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

સક્રિય કેસના ભારણમાં પણ ભારતમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,05,513 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.3૦% છે.

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,68,561 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 45.29 કરોડથી વધારે (45,29,39,545) પરીક્ષણો કરવામાં આવ્યા છે.
એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.14% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.12% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 32 દિવસથી ૩%થી ઓછો છે અને 46 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1738020)
Visitor Counter : 315