સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતનું કોવિડ -19 રસીકરણ કવરેજ 40 કરોડના સિમાચિહ્નને પાર


સાજા થવાનો દર વધીને 97.31%

છેલ્લા 24 કલાકમાં 41,157 દૈનિક નવા કેસ નોંધાયા

ભારતમાં સક્રિય કેસનું ભારણ 4,22,660; કુલ કેસના 1.36%

દૈનિક પોઝિટિવિટી દર (2.13%) સળંગ 27 દિવસથી 3% કરતા ઓછો છે

Posted On: 18 JUL 2021 10:25AM by PIB Ahmedabad

ભારતમાં રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો સિમાચિહ્નરૂપ 40 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 50,46,387 સત્રોનું આયોજન કરીને રસીના 40,49,31,715 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 51,01,567 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

 

 

HCWs

પ્રથમ ડોઝ

1,02,69,092

બીજો ડોઝ

75,40,656

FLWs

પ્રથમ ડોઝ

1,77,92,396

બીજો ડોઝ

1,03,48,504

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

12,42,65,428

બીજો ડોઝ

48,64,609

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

9,74,79,640

બીજો ડોઝ

2,90,71,946

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

7,20,87,206

બીજો ડોઝ

3,12,12,238

કુલ

40,49,31,715

 

1 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે.

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસમાંથી 3,02,69,796 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 42,004 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 97.31% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001FR1U.jpg

 

છેલ્લા 24 કલાકમાં ભારતમાં દૈનિક 41,157 નવા કેસ નોંધાયા છે.

એકવીસ દિવસથી સતત 50,000 કરતા ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. આ કેન્દ્ર અને રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સતત અને સહયોગી પ્રયત્નોનું પરિણામ છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00298LQ.jpg

દેશમાં સક્રિય કેસનું ભારણ આજે 4,22,660 છે અને સક્રિય કેસ હવે દેશના કુલ પોઝિટીવ કેસના માત્ર 1.36% છે

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003QAJ6.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,36,709 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 44.39 કરોડથી વધારે (44,39,58,663) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 2.08% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.13% નોંધાયો છે. દૈનિક પોઝિટીવિટી દર સળંગ 27 દિવસથી ૩%થી ઓછો છે અને 41 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004AFD8.jpg

 

SD/GP/JD

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1736545) Visitor Counter : 234