મંત્રીમંડળ
મંત્રીમંડળે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત વધારવાને મંજૂરી આપી
Posted On:
14 JUL 2021 4:03PM by PIB Ahmedabad
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ મંત્રીમંડળની સમિતિએ આજે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહતને 01.07.2021થી વધારવાની મંજૂરી આપી છે. જે મૂળભૂત પગાર / પેન્શનના હાલના 17%ના દર કરતા 11% નો વધારો સાથે વધારીને 28% કર્યું છે.
કોવિડ-19 રોગચાળાને લીધે ઉભી થયેલી અણધારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થું (ડી.એ.) અને પેન્શનરોના મોંઘવારી રાહત (ડી.આર.) ના ત્રણ વધારાના હપ્તા સ્થિર કરી દેવામાં આવ્યા હતા, જે 01.01.2020, 01.07.2020 અને 01.01.2021 થી બાકી હતા.
હવે, સરકારે કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થું અને પેન્શનરોને મોંઘવારી રાહત વધારીને 01.07.2021થી 28% કરી છે જે મૂળભૂત પગાર / પેન્શનના હાલના 17% દરમાં 11% નો વધારો દર્શાવે છે. આ વધારો 01.01.2020, 01.07.2020 અને 01.01.2021 પર ઉદ્ભવતા વધારાના હપ્તાને પ્રતિબિંબિત કરે છે. 01.01.2020 થી 30.06.2021 ના સમયગાળા માટેનો મોંઘવારી ભથ્થું / મોંઘવારી રાહતનો દર 17% રહેશે.
SD/GP/BT
સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :
@PIBAhmedabad
/pibahmedabad1964
/pibahmedabad
pibahmedabad1964[at]gmail[dot]com
(Release ID: 1735396)
Visitor Counter : 1583
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam