સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતના કોવિડ-19 રસીકરણ કવરેજનો આંકડો 30 કરોડના મહત્વપૂર્ણ મુકામને ઓળંગી ગયો


છેલ્લા 24 કલાકમાં 64.89 લાખ રસીના ડોઝ લગાવાયા


છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા 54,069

સતત ઘટાડાના વલણ સાથે, ભારતમાં સક્રિય કેસોનું ભારણ વધુ ઘટીને 6,27,057 રહ્યું

સળંગ 42મા દિવસે પણ દૈનિક ધોરણે નવા કેસોની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો વધારે

સાજા થવાનો દર વધીને 96.61% થયો

દૈનિક પોઝિટીવિટી દર 2.91% થયો, સતત 17 દિવસથી પોઝિટીવિટી દર 5%થી ઓછો નોંધાય છે

Posted On: 24 JUN 2021 11:06AM by PIB Ahmedabad

એક મહત્વપૂર્ણ સફળતારૂપે, ભારતમાં ગઇકાલે રાષ્ટ્રવ્યાપી રસીકરણ કવરેજનો કુલ આંકડો 30 કરોડ કરતાં વધારે થઇ ગયો છે. આજે સવારે 7 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, દેશમાં આજદિન સુધીમાં કુલ 40,45,516 સત્રોનું આયોજન કરીને રસીના 30,16,26,028 ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં રસીના 64,89,599 ડોઝ આપવામાં આવ્યા છે.

 

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

1,01,58,915

બીજો ડોઝ

71,32,888

FLWs

પ્રથમ ડોઝ

1,73,03,658

બીજો ડોઝ

91,85,106

18 થી 44 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

7,06,62,665

બીજો ડોઝ

15,02,078

45 થી 59 વર્ષ સુધીનું વય જૂથ

પ્રથમ ડોઝ

8,39,38,683

બીજો ડોઝ

1,33,51,488

60 વર્ષથી વધુ ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,61,61,004

બીજો ડોઝ

2,22,29,543

Total

30,16,26,028

 

21 જૂનથી કોવિડ-19 વિરોધી રસીકરણ અભિયાનના સાર્વત્રીકરણના નવા તબક્કાનો આરંભ થયો છે. કેન્દ્ર સરકાર સમગ્ર દેશમાં કોવિડ-19 રસીકરણનો વ્યાપ વધારવા માટે અને તેને વધુ વેગવાન બનાવવા માટે પ્રતિબદ્ધ છે. આદરણીય પ્રધાનમંત્રીએ 16 જાન્યુઆરી 2021ના રોજ દેશવ્યાપી કોવિડ-19 રસીકરણ કાર્યક્રમનો આરંભ કરાવ્યો છે.

ભારતમાં છેલ્લા 24 કલાકમાં નવા 54,069 કેસ નોંધાયા છે.

સળંગ 17 દિવસથી દેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 1 લાખ કરતાં ઓછી નોંધાઇ રહી છે. કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા હાથ ધરવામાં આવેલા સહયોગપૂર્ણ પ્રયાસોના ફળરૂપે સ્થિતિમાં આ સુધારો જોવા મળ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001NWSQ.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશમાં સક્રિય કેસોનું ભારણ આજે 6,27,057 નોંધાયું છે.

છેલ્લા 24 કલાકમાં 16,137 દર્દીઓનો ચોખ્ખા ઘટાડો નોંધાયો છે અને હવે ભારતમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની  સંખ્યા 2.08% રહી છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0020R70.jpg

 

વધુને વધુ દર્દીઓ કોવિડ-19ના ચેપમાંથી મુક્ત થઇ રહ્યાં હોવાથી, ભારતમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓની સરખામણીએ નવા સાજા થનારા દર્દીઓનો આંકડો સતત 42મા દિવસે વધારે રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં વધુ 68,885 દર્દીઓ સાજા થયા છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે નવા નોંધાયેલા કેસોની સરખામણીએ નવા સાજા થનારાનો આંકડો લગભગ 14,000 (14,816) વધારે છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MJ96.jpg

 

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,90,63,740 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 68,885 દર્દીઓ સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 96.61% થયો છે અને તેમાં સતત વૃદ્ધિનું વલણ જળવાઇ રહ્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004XCOW.jpg

સમગ્ર દેશમાં દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે અને છેલ્લા 24 કલાકમાં દેશમાં 18,59,469 કુલ પરીક્ષણો કરવામાં આવ્યા છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ મળીને 39.78 કરોડથી વધારે (39,78,32,667) પરીક્ષણો કરવામાં આવ્યા છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 3.04% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર આજે 2.91% નોંધાયો છે. સળંગ 17 દિવસથી આ દર 5%થી નીચે જળવાઇ રહ્યો છે.

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005H65V.jpg

 

SD/GP/JD

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1729984) Visitor Counter : 239