સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતના બીજા ક્રમિક દિવસે દૈનિક નવા કેસ 1 લાખથી ઓછા


ભારતનો એક્ટિવ કેસ લોડ 57 દિવસ પછી વધુ ઘટીને 13 લાખથી પણ ઓછા થઈ ગયો છે

સક્રિય કિસ્સાઓમાં છેલ્લા 24 કલાકમાં કેસ ઘટીને 72,287 થયા

સળંગ 27મા દિવસે પણ દૈનિક ધોરણે નવા કેસ કરતાં નવા સાજા થનારાનો આંકડો વધારે નોંધાયો

રિકવરી રેટ સતત વધીને 94.55 ટકા થયો

સાજા થવાનો દર વધીને 93.94% સુધી પહોંચ્યો

દૈનિક પોઝિટીવિટી દર 6.66% થયો જે સતત 16 દિવસથી 10%ની નીચે છે

છેલ્લા 24 કલાકમાં 27. 7 લાખ લોકોને રસી આપવામાં આવી

Posted On: 09 JUN 2021 11:52AM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં ભારતમાં 92,596 નવા કેસ નોંધાયા છે. દેશમાં હાલમાં સતત 2 દિવસ થી 1 લાખથી ઓછા દૈનિક નવા કેસ નોંધાયા છે. જે કેન્દ્ર, રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા સંપૂર્ણ સરકાર અભિગમને અનુરૂપ સહયોગી અને સતત પ્રયત્નોનું પરિણામ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0018U6I.jpg

ભારત સક્રિય કેસોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. દેશનો સક્રિય કેસ લોડ આજે પણ 12,31,415ની સપાટીએ છે. સતત સાત દિવસો માટે કેસલોડ 20 લાખથી નીચે રહ્યો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 72,287 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો થયો છે અને દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસોની સંખ્યા 4.23% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002BJDY.jpg

ભારતનો દૈનિક સાજા થવાની ટકાવારી સતત 27 મા દિવસે દૈનિક નવા કેસની સરખામણીએ આગળ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં 1,62,664 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન એક દિવસમાં નવા નોંધાયેલા કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 70,068 વધારે નોંધાઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image00346VA.jpg

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,75,04,126 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં 1,62,664 દર્દીઓ સાજા થયા છે. જેને કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 94.84% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004KGFC.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં 19,85,967 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 37 કરોડ (37,01,93,563) થઇ ગઇ છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટી હાલમાં 5.66% નોંધાયો છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 4.66% નોંધાયો છે. સળંગ 16 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0050KMY.jpg

દેશભરમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 23.90 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. આજે રાષ્ટ્રવ્યાપી રસીકરણ ડ્રાઇવ હેઠળ છેલ્લા 24 કલાકમાં 27,76,096 રસીના ડોઝ આપવામાં આવ્યા હતા.

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 33,44,533 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 23,90,58,360 ડોઝ આપવામાં આવ્યા છે.

આમાં સામેલ છે:

HCWs

પ્રથમ ડોઝ

99,96,113

બીજો ડોઝ

68,94,206

FLWs

પ્રથમ ડોઝ

1,63,86,094

બીજો ડોઝ

87,28,340

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

3,18,51,951

બીજો ડોઝ

3,18,313

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

7,26,04,407

બીજો ડોઝ

1,15,39,053

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

6,12,98,568

બીજો ડોઝ

1,94,41,315

કુલ

23,90,58,360

 

****

SD/GP

 

 

સોશિયલ મીડિયા પર અમને ફોલો કરો :  @PIBAhmedabad   Image result for facebook icon /pibahmedabad1964    /pibahmedabad  pibahmedabad1964[at]gmail[dot]com



(Release ID: 1725536) Visitor Counter : 250