પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી 4 જૂનના રોજ એસઆઈઆર સોસાયટીની બેઠકની અધ્યક્ષતા કરશે

Posted On: 03 JUN 2021 9:13PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 4 જૂન, 2021ના રોજ સવારે 11 કલાકે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વૈજ્ઞાનિક તેમજ ઔદ્યોગિક અનુસંધાન પરિષદ (સીએસઆઈઆર) સોસાયટીની બેઠકની અધ્યક્ષતા કરશે. કેન્દ્રીય વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી મંત્રી પણ આ અવસરે ઉપસ્થિત રહેશે.

સોસાયટી વિજ્ઞાન અને તકનીકી મંત્રાલય હેઠળ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન વિભાગનો એક ભાગ છે. તેની પ્રવૃત્તિઓ દેશભરમાં ફેલાયેલી 37 પ્રયોગશાળાઓ અને 39 આઉટરીચ કેન્દ્રો દ્વારા હાથ ધરવામાં આવે છે. જાણીતા વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને વૈજ્ઞાનિક મંત્રાલયોના વરિષ્ઠ અધિકારીઓ સોસાયટીનો ભાગ છે, જે વાર્ષિક ધોરણે મળે છે.

SD/GP



(Release ID: 1724315) Visitor Counter : 154