સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં દૈનિક નવા કેસોની સંખ્યા ઘટીને 1.52 લાખ નોંધાઇ, નવા કેસોમાં ઘટાડાનું વલણ સતત જળવાઇ રહ્યું


છેલ્લા 50 દિવસમાં દૈનિક ધોરણે નવા કેસોનો સૌથી ઓછો આંકડો

છેલ્લા 24 કલાકમાં 88,416 દર્દીઓના ઘટાડા સાથે કુલ સક્રિય કેસોનું ભારણ વધુ ઘટીને 20,26,092 થયું

સળંગ 18મા દિવસે પણ દૈનિક ધોરણે નવા કેસ કરતાં નવા સાજા થનારાનો આંકડો વધારે નોંધાયો

સાજા થવાનો દર વધીને 91.60% સુધી પહોંચ્યો

દૈનિક પોઝિટીવિટી દર 9.07% થયો જે સતત 7 દિવસથી 10%ની નીચે છે

પરીક્ષણોની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ સાથે આજદિન સુધીમાં કુલ પરીક્ષણોનો આંકડો 34.48 કરોડ થયો

દેશવ્યાપી રસીકરણ અભિયાન અંતર્ગત આજદિન સુધીમાં રસીના કુલ 21.3 કરોડ કરતાં વધારે ડોઝ આપવામાં આવ્યા

Posted On: 31 MAY 2021 10:38AM by PIB Ahmedabad

દેશમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં એકધારા ઘટાડા સાથે, ભારતમાં છેલ્લા 50 દિવસમાં દૈનિક ધોરણે સૌથી ઓછા 1.52 લાખ નવા કેસ નોંધાયા છે.

દેશમાં હવે સતત 4 દિવસથી દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યા 2 લાખથી નીચે જળવાઇ રહી છે.

છેલ્લા 24 કલાકમાં દૈનિક ધોરણે 1,52,734 દર્દીઓ નવા નોંધાયા છે.

 

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/photo/2021/may/ph202153101.jpg

ભારતમાં સક્રિય કેસોના ભારણમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. સક્રિય કેસોનું ભારણ વધારે ઘટવાથી આજે કુલ સક્રિય કેસોનો આંકડો 20,26,092 થઇ ગયો છે.

છેલ્લા 24 કલાકમાં વધુ 88,416 દર્દીઓનો ચોખ્ખો ઘટાડો થયો છે અને દેશમાં આજદિન સુધીમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસમાંથી સક્રિય કેસોની સંખ્યા 7.22% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002U3ZM.jpg

 

દેશમાં સતત 18મા દિવસે પણ દૈનિક ધોરણે નવા નોંધાયેલા દર્દીઓ કરતાં સાજા થનારા દર્દીઓની સંખ્યા વધારે જળવાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં 2,38,022 દર્દીઓ સાજા થયા હોવાનું નોંધાયું છે.

છેલ્લા 24 કલાક દરમિયાન એક દિવસમાં નવા નોંધાયેલા કેસોની સરખામણીએ સાજા થયેલા દર્દીઓની સંખ્યા 85,288 વધારે નોંધાઇ છે.

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/photo/2021/may/ph202153121.jpg

મહામારીની શરૂઆતથી આજદિન સુધીમાં કોવિડ-19ના કુલ પોઝિટીવ થયેલા કેસોમાંથી 2,56,92,342 દર્દીઓ સાજા થઇ ગયા છે અને છેલ્લા 24 કલાકમાં વધુ 2,38,022 દર્દી સાજા થયા છે. આના કારણે એકંદરે સાજા થવાનો દર વધીને 91.60% થયો છે.

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/photo/2021/may/ph202153131.jpg

છેલ્લા 24 કલાકમાં દેશમાં 16,83,135 પરીક્ષણો કરવામાં આવ્યા છે અને આજદિન સુધીમાં થયેલા કુલ પરીક્ષણોની સંખ્યા 34.48 કરોડ થઇ ગઇ છે.

એક તરફ, દેશમાં થતા પરીક્ષણોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે અને બીજી તરફ સાપ્તાહિક ધોરણે કેસોની પોઝિટીવિટીમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. સાપ્તાહિક પોઝિટીવિટી દર હાલમાં 9.04% છે જ્યારે દૈનિક પોઝિટીવિટી દર ઘટ્યો છે અને આજે 9.07% નોંધાયો છે. સળંગ 7 દિવસથી આ દર 10%થી નીચે જળવાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/specificdocs/photo/2021/may/ph202153141.jpg

 

દેશભરમાં ચાલી રહેલા કોવિડ-19 રસીકરણ અભિયાનના ભાગરૂપે આજદિન સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીના કુલ 21.31 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

 

આજે સવારે 7 વાગ્યા સુધીમાં પ્રાપ્ત થયેલા હંગામી અહેવાલો અનુસાર દેશમાં કુલ 30,28,295 સત્રોનું આયોજન કરીને રસીના કુલ 21,31,54,129 ડોઝ આપવામાં આવ્યા છે.

 

આમાં સામેલ છે:

 

HCWs

પ્રથમ ડોઝ

98,67,310

બીજો ડોઝ

67,76,644

FLWs

પ્રથમ ડોઝ

1,55,92,325

બીજો ડોઝ

84,97,120

18 થી 44 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

1,89,64,595

બીજો ડોઝ

10,058

45 થી 60 વર્ષનું વયજૂથ

પ્રથમ ડોઝ

6,56,60,693

બીજો ડોઝ

1,05,74,441

60 વર્ષથી વધારે ઉંમરના લાભાર્થી

પ્રથમ ડોઝ

5,85,28,448

બીજો ડોઝ

1,86,82,495

કુલ

21,31,54,129

SD/GP/JD 



(Release ID: 1723055) Visitor Counter : 244