પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ હર એક્સેલન્સી ઉર્સુલા વોન ડેર લેયને કરી ફોન પર વાતચીત

Posted On: 03 MAY 2021 2:09PM by PIB Ahmedabad

 

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે યુરોપિયન કમિશનના અધ્યક્ષ હર એક્સેલન્સી ઉર્સુલા વોન ડેર લેન સાથે ફોન પર વાતચીત કરી.

 

બંને નેતાઓએ ભારતમાં COVID-19 ની પ્રવર્તમાન પરિસ્થિતિ અને EU સહિતના વિચારોની આપલે કરી, જેમાં COVID-19 ની બીજી લહેરને સમાપ્ત કરવાના ભારતના પ્રયાસો પણ સામેલ છે. પ્રધાનમંત્રી  મોદીએ  COVID-19 ના બીજી લહેર સામે ભારતની લડત માટે ઝડપી સમર્થન એકત્રિત કરવા માટે EU અને તેના સભ્ય દેશોની પ્રશંસા કરી.

 

તેઓએ નોંધ્યું કે જુલાઈમાં મળેલી છેલ્લી  સમિટથી ભારત -EU વચ્ચેની વ્યૂહાત્મક ભાગીદારીમાં નવી ગતિ આવી છે. નેતાઓ એ વાતે સહમત થયા કે આગામી ૮ મી મે 2021 ના રોજ યોજાનારી ભારત -EU નેતાઓની વર્ચ્યુઅલ બેઠક ભારત-EU વચ્ચેના બહુમુખી સંબંધોને આગળ વધારવા માટે અગત્યની તક બની રહેશે. ભારત -EU નેતાઓ ની મીટીંગ EU +27 ફોર્મેટ માં પહેલી બેઠક હશે. અને તે ભારત -EU વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરવા બંને પક્ષની મહત્વાકાંક્ષાને  પ્રતિબિમ્બિત કરશે.

 

************************

SD/GP/JD/PC

 

 



(Release ID: 1715670) Visitor Counter : 215