પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ શ્રી ગુરુ તેગ બહાદુર જીને તેમના 400મા પ્રકાશ પર્વ નિમિતે નમન કર્યા


પ્રધાનમંત્રીએ ગુરૂદ્વારા સીસ ગંજ સાહિબ ખાતે પ્રાર્થના પણ કરી

Posted On: 01 MAY 2021 8:49AM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ શ્રી ગુરૂ તેગ બહાદુર જીને તેમના 400મા પ્રકાશ પર્વ નિમિતે નમન કર્યા હતા.

પ્રધાનમંત્રીએ ટ્વીટર પર કહ્યુંઃ

“તેમના 400મા પ્રકાશ પર્વ નિમિતેના ખાસ અવસરે, હું શ્રી ગુરૂ તેગ બહાદુર જીને નમન કરૂં છું. તેઓ વિશ્વભરમાં તેમના સાહસ અને કચડાયેલા વર્ગના લોકોની સેવા માટેના તેમના પ્રયાસો માટે સન્માનીય રહ્યા. તેમણે આતંક અને અન્યાય સામે ઝૂકવાનો ઈનકાર કર્યો હતો. તેમના સર્વોચ્ચ બલિદાનથી અનેક લોકોને તાકાત અને પ્રેરણા મળી છે.”

SD/GP/JD



(Release ID: 1715260) Visitor Counter : 259