સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત સરકારે આજદિન સુધીમાં રસીના 16.33 કરોડ કરતાં વધારે ડોઝ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને વિનામૂલ્યે પૂરાં પાડ્યાં


રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે રસીકરણ માટે 1 કરોડ કરતાં વધારે ડોઝ હજુ પણ ઉપલબ્ધ છે

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને 19 લાખ કરતાં વધારે ડોઝ પ્રાપ્ત થશે

Posted On: 30 APR 2021 12:23PM by PIB Ahmedabad

કોવિડ-19 મહામારી સામે લડવા માટે ભારત સરકારની પાંચ મુદ્દાની વ્યૂહનીતિમાં રસીકરણ એક મહત્વપૂર્ણ આધારસ્તંભ છે જેમાં અન્ય મુદ્દામાં ટેસ્ટ, ટ્રેસ, ટ્રેક અને કોવિડ માટે યોગ્ય આચરણના પાલનનો સમાવેશ થાય છે. ભારત સરકાર કોવિડ-19 મહામારી સામે દેશની જંગમાં સતત અગ્રેસર રહીને સ્થિતિને સંભાળી રહી છે. કોવિડ-19 મહામારીના નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે કેન્દ્ર સરકાર દ્વારા સક્રિય અભિગમ સાથે સંખ્યાબંધ પગલાં લેવામાં આવ્યા છે.

આજદિન સુધીમાં ભારત સરકારે તમામ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના લગભગ 16.33 કરોડ (16,33,85,030) ડોઝ વિનામૂલ્યે આપ્યા છે (આજે સવારે 8 વાગ્યા સુધીના ડેટા અનુસાર).

આમાંથી બગાડ સહિત કુલ 15,33,56,503 ડોઝનો વપરાશ થયો છે.

રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશો પાસે કોવિડની રસીના 1 કરોડથી વધારે ડોઝ (1,00,28,527) હજુ પણ રસીકરણની કામગીરી આગળ વધારવા માટે ઉપલબ્ધ છે.

આગામી 3 દિવસમાં રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોને રસીના લગભગ 20 લાખ (19,81,110) ડોઝ પ્રાપ્ત થઇ જશે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0017T05.jpg

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002VCPS.jpg

 

 

 

 

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003IRFI.jpg

SD/GP/JD



(Release ID: 1715007) Visitor Counter : 245