સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

મૃત્યુઆંકમાં સતત ઘટાડો જળવાઇ રહ્યો; દૈનિક ધોરણે મૃત્યુઆંક 100થી ઓછો


મૃત્યુદર 1.5%થી ઓછો જે દુનિયામાં સૌથી નીચલા સ્તર પૈકી એક છે

ભારતમાં સાજા થવાનો દર 97.31% જે દુનિયામાં સર્વાધિક પૈકી એક છે

82 લાખથી વધારે લાભાર્થીએ કોવિડ-19 વિરોધી રસી લીધી

Posted On: 14 FEB 2021 11:53AM by PIB Ahmedabad

ભારતમાં 1 ઓક્ટોબર 2020થી કોવિડના દૈનિક ધોરણે મૃત્યુઆંકમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કુલ મૃત્યુઆંક 92 નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001Y5JU.jpg

1 ઓક્ટોબર 2020થી દેશમાં મૃત્યુઆંકની સંખ્યામાં સ્પષ્ટપણે એકધારું ઘટાડાનું વલણ નોંધાયું છે. ભારતમાં મૃત્યુદર ઘટીને 1.5%થી ઓછો (1.43%) થઇ ગયો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યુદર ધરાવતા દેશોમાં ભારત છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002B34D.jpg

દેશમાં આજદિન સુધીમાં કુલ સાજા થયેલાની સંખ્યા 1.06 કરોડ (1,06,11,731) થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં નવા 11,016 દર્દીઓ સાજા થઇ ગયા છે. ભારતમાં સરેરાશ સાજા થવાનો દર 97.31% છે જે દુનિયામાં સર્વાધિક રિકવરી દર પૈકી એક છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કેસો વચ્ચેનો તફાવત પણ સતત વધી રહ્યો છે જે આજે 1,04,74,164 થઇ ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MY5N.jpg

14 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 કલાક સુધીમાં દેશમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત અંતર્ગત આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને અગ્ર હરોળના કર્મચારીઓ સહિત રસી લેનારા કુલ લાભાર્થીઓની સંખ્યા 82 લાખનો આંકડો ઓળંગી ગઇ છે.

આજે સવારે 8 વાગ્યા સુધીના હંગામી અહેવાલ અનુસાર, આજદિન સુધીમાં કુલ 1,72,852 સત્રોનું આયોજન કરીને કુલ 82,63,858 લાભાર્થીને રસી આપવામાં આવી છે. તેમાં 59,84,018 HCW (1લો ડોઝ), 23,628 HCW (2જો ડોઝ) અને 22,56,212 FLW (1લો ડોઝ) સામેલ છે..

રસીકરણના 28 દિવસમાં જેમણે કોવિડ-19 વિરોધી રસીનો પહેલો ડોઝ લીધો હોય તેમને બીજા ડોઝના રસીકરણની કાર્યવાહી ગઇકાલથી શરૂ કરવામાં આવી છે.

અનુક્રમ નંબર

 

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા લાભાર્થીઓ

1લો ડોઝ

2જો ડોઝ

કુલ ડોઝ

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

3,646

0

3,646

2

આંધ્રપ્રદેશ

3,56,521

5,820

3,62,341

3

અરુણાચલ પ્રદેશ

15,633

461

16,094

4

આસામ

1,27,566

2,215

1,29,781

5

બિહાર

4,91,233

0

4,91,233

6

ચંદીગઢ

8,660

143

8,803

7

છત્તીસગઢ

2,61,274

833

2,62,107

8

દાદરા અને નગર હવેલી

2,922

41

2,963

9

દમણ અને દીવ

1,121

30

1,151

10

દિલ્હી

1,89,351

1,856

1,91,207

11

ગોવા

13,166

517

13,683

12

ગુજરાત

6,80,326

0

6,80,326

13

હરિયાણા

1,95,745

588

1,96,333

14

હિમાચલ પ્રદેશ

81,482

475

81,957

15

જમ્મુ અને કાશ્મીર

1,28,822

807

1,29,629

16

ઝારખંડ

1,99,008

1,873

2,00,881

17

કર્ણાટક

4,96,159

0

4,96,159

18

કેરળ

3,56,322

0

3,56,322

19

લદાખ

2,904

77

2,981

20

લક્ષદ્વીપ

1,776

0

1,776

21

મધ્યપ્રદેશ

5,57,105

0

5,57,105

22

મહારાષ્ટ્ર

6,82,420

189

6,82,609

23

મણીપુર

22,362

55

22,417

24

મેઘાલય

13,998

91

14,089

25

મિઝોરમ

11,494

74

11,568

26

નાગાલેન્ડ

9,684

0

9,684

27

ઓડિશા

4,11,939

0

4,11,939

28

પુડુચેરી

5,953

71

6,024

29

પંજાબ

1,03,799

59

1,03,858

30

રાજસ્થાન

6,09,568

0

6,09,568

31

સિક્કિમ

8,335

0

8,335

32

તમિલનાડુ

2,46,420

1,154

2,47,574

33

તેલંગાણા

2,78,915

3,273

2,82,188

34

ત્રિપુરા

69,196

366

69,562

35

ઉત્તરપ્રદેશ

8,58,602

0

8,58,602

36

ઉત્તરાખંડ

1,08,974

0

1,08,974

37

પશ્ચિમ બંગાળ

5,12,772

2,345

5,15,117

38

અન્ય

1,15,057

215

1,15,272

 

કુલ

82,40,230

23,628

82,63,858

 

રસીકરણ કવાયતના 29મા દિવસે (13 ફેબ્રુઆરી 2021) કુલ 2,96,211 લાભાર્થીને રસી આપવામાં આવી છે. આમાંથી 8,071 સત્રોમાં 2,72,583 લાભાર્થીને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો જ્યારે 23,628 HCWને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.

દેશમાં કોવિડ વિરોધી રસી લેનારાની સંખ્યામાં દૈનિક ધોરણે પ્રગતિપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0052BFH.jpg

કુલ રસી લેનારામાંથી 68..55% લાભાર્થી 10 રાજ્યોમાંથી છે.

 

 

 

નવા સાજા થયેલા 81.58% દર્દીઓ 6 રાજ્યોમાંથી હોવાનું નોંધાયું છે.

સમગ્ર દેશમાં કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,835 નવા દર્દી સાજા થયા છે. તે પછીના ક્રમે, મહારાષ્ટ્રમાં 24 કલાકમાં વધુ 1,773 દર્દી જ્યારે તમિલનાડુમાં નવા 482 દર્દી સાજા થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006OFSQ.jpg

ભારતમાં નોંધાયેલા કુલ પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોનું ભારણ માત્ર 1.26% રહ્યું છે. ભારતમાં કુલ સક્રિય કેસોની સંખ્યા આજે ઘટીને 1.37 લાખ (1,37,567) થઇ ગઇ છે.

નવા નોંધાયેલા 86.25% કેસ છ રાજ્યોમાંથી છે.

કેરળમાં એક દિવસમાં સૌથી વધુ 5,471 નવા દર્દી સંક્રમિત થયા છે. ત્યારપછીના ક્રમે મહારાષ્ટ્રમાં નવા 3,611 દર્દી જ્યારે તમિલનાડુમાં નવા 477 દર્દી પોઝિટીવ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007KFC5.jpg

 

 

નવા નોંધાયેલા 78.3% મૃત્યુ 6 રાજ્યોમાંથી છે.

મહારાષ્ટ્રમાં સૌથી વધુ મૃત્યુ (38) નોંધાયા છે. તે પછીના ક્રમે, કેરળમાં દૈનિક ધોરણે વધુ 16 જ્યારે તમિલનાડુ અને છત્તીસગઢ પ્રત્યેકમાં વધુ 5 દર્દીના મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008AWZP.jpg

 

SD/GP/JD



(Release ID: 1697913) Visitor Counter : 227