સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતે 20 કરોડથી વધારે પરીક્ષણો કરીને અભૂતપૂર્વ વિક્રમ નોંધાવ્યો


સક્રિય કેસોનું ભારણ ઘટીને 1.5 લાખ કરતાં ઓછું થયું જે 8 મહિનામાં સૌથી નીચલા સ્તરે

કોવિડ-19 વિરોધી રસી લેનારા કુલ લાભાર્થીની સંખ્યા 54 લાખથી વધુ થઇ

ભારતે માત્ર 21 દિવસમાં 5 મિલિયન લોકોને કોવિડ-19ની રસી આપી હોવાથી સૌથી ઝડપથી આ સિદ્ધિ પ્રાપ્ત કરનારો દેશ બન્યો

Posted On: 06 FEB 2021 12:04PM by PIB Ahmedabad

ભારતે કોવિડ-19ના કુલ પરીક્ષણો મામલે અભૂતપૂર્વ વિક્રમ નોંધાવ્યો છે. ભારતમાં આજે કોવિડ-19ના કુલ પરીક્ષણોની સંખ્યા 20 કરોડના સીમાચિહ્નરૂપ આંકડા (20,06,72,589)થી આગળ નીકળી ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 7,40,794 પરીક્ષણો કરવામાં આવ્યા છે.

સમગ્ર દેશમાં પરીક્ષણોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પ્રગતીપૂર્ણ વિસ્તરણે પરીક્ષણોની સંખ્યામાં તીવ્ર વધારો કરવામાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવી છે. દેશમાં અત્યારે 1,214 સરકારી અને 1,155 ખાનગી સહિત કુલ 2369 લેબોરેટરીનું નેટવર્ક હોવાથી દૈનિક ધોરણે પરીક્ષણોની ક્ષમતામાં નોંધપાત્ર વધારો થયો છે.

કુલ પોઝિટીવિટી દર પણ સતત ઘટી રહ્યો છે અને હાલમાં તે ઘટીને 5.39% થઇ ગયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001O9R9.jpg

ટકાઉક્ષમ ધોરણે વ્યાપક સંખ્યામાં પરીક્ષણો જાળવી રાખવાના ઉચ્ચ સ્તરના પરિણામે રાષ્ટ્રીય પોઝિટીવિટી દરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.

દૈનિક ધોરણે મોટી સંખ્યામાં પરીક્ષણો અને દૈનિક નવા નોંધાતા કેસોની ઓછી સંખ્યાના પરિણામે પોઝિટીવિટી દર ઘટ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002CH75.jpg

ભારતમાં કુલ સક્રિય કેસોના ભારણમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો હોવાથી તેની કુલ સંખ્યામાં ઘટતું વલણ જળવાઇ રહ્યું છે. આ આંકડો આજે ઘટીને 1.5 લાખથી ઓછો (1,48,590) થઇ ગયો છે જે છેલ્લા 8 મહિનામાં સૌથી નીચલું સ્તર બતાવે છે.

દેશમાં કુલ નોંધાયેલા પોઝિટીવ કેસોમાંથી સક્રિય કેસોની સંખ્યા હાલમાં માત્ર 1.37% રહી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image003MWEC.jpg

 

 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 100થી ઓછો મૃત્યુઆંક (95) નોંધાયો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image004SU1Q.jpg

દેશમાં શરૂ કરવામાં આવેલી કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત હેઠળ 6 ફેબ્રુઆરી 2021ના રોજ સવારે 8:00 વાગ્યા સુધીમાં રસી લેનારા કુલ લાભાર્થીઓની સંખ્યા 54 લાખથી વધુ (54,16,849) થઇ ગઇ છે.

અનુક્રમ નંબર

રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ

રસી લેનારા કુલ લાભાર્થી

1

આંદામાન અને નિકોબારના ટાપુઓ

3,161

2

આંધ્રપ્રદેશ

2,72,190

3

અરુણાચલ પ્રદેશ

11,834

4

આસામ

77,225

5

બિહાર

3,54,360

6

ચંદીગઢ

5,234

7

છત્તીસગઢ

1,50,487

8

દાદરા અને નગર હવેલી

1,214

9

દમણ અને દીવ

674

10

દિલ્હી

1,00,079

11

ગોવા

7,939

12

ગુજરાત

3,94,416

13

હરિયાણા

1,37,706

14

હિમાચલ પ્રદેશ

51,555

15

જમ્મુ અને કાશ્મીર

41,624

16

ઝારખંડ

85,580

17

કર્ણાટક

3,60,592

18

કેરળ

2,86,132

19

લદાખ

1,745

20

લક્ષદ્વીપ

831

21

મધ્યપ્રદેશ

3,40,625

22

મહારાષ્ટ્ર

4,34,943

23

મણીપુર

6,874

24

મેઘાલય

6,213

25

મિઝોરમ

10,555

26

નાગાલેન્ડ

4,515

27

ઓડિશા

2,35,680

28

પુડુચેરી

3,532

29

પંજાબ

72,855

30

રાજસ્થાન

4,14,422

31

સિક્કિમ

5,139

32

તમિલનાડુ

1,57,324

33

તેલંગાણા

1,93,667

34

ત્રિપુરા

37,359

35

ઉત્તરપ્રદેશ

6,73,542

36

ઉત્તરાખંડ

70,292

37

પશ્ચિમ બંગાળ

3,44,227

38

અન્ય

60,507

કુલ

54,16,849

 

રસી લેનારા લાભાર્થીઓની સંખ્યામાં દરરોજ એકધારો અને પ્રગતીપૂર્ણ વધારો નોંધાઇ રહ્યો છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image005H7YL.jpg

ભારતે માત્ર 21 દિવસમાં જ 5 લાખ લોકોને કોવિડ-19 વિરોધી રસી આપવાનું સીમાચિહ્ન પ્રાપ્ત કર્યું હોવાથી આ મુકામ સુધી સૌથી ઝડપથી પહોંચનારો દેશ બની ગયો છે. ઘણા અન્ય દેશોમાં કોવિડ-19 વિરોધી રસીકરણ કવાયત શરૂ કર્યા પછી 60 દિવસ કરતાં પણ વધુ સમયમાં આ લક્ષ્ય પ્રાપ્ત થઇ શક્યું છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image006CAWV.jpg

 

છેલ્લા 24 કલાકમાં દેશમાં 10,502 સત્રોનું આયોજન કરીને કુલ 4,57,404 લાભાર્થીને રસી આપવામાં આવી છે. ભારતમાં આજદિન સુધીમાં કુલ 1,06,303 સત્રોનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં, 3,01,537 આરોગ્ય સંભાળ કર્મચારીઓ અને 1,55,867 અગ્ર હરોળના કર્મચારીઓને રસી આપવામાં આવી છે.

ભારતમાં દૈનિક ધોરણે નવા કેસોની સંખ્યામાં પણ નોંધનીય ઘટાડો નોંધાયો છે જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં મોટી વૃદ્ધિ થઇ છે. સાજા થવાનો દર લગભગ 97.19% સુધી પહોંચી ગયો છે. કુલ સાજા થયેલાની સંખ્યા 1,05,10,796 થઇ ગઇ છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં વધુ 14,488 દર્દીઓ સાજા થઇ જતા તેમને રજા આપવામાં આવી છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image007C9DL.jpg

નવા સાજા થયેલામાંથી 82.07% દર્દીઓ 6 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે સૌથી વધુ 6,653 નવા દર્દી સાજા થયા છે. ત્યારપછીના ક્રમે, મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં નવા 3,573 દર્દી જ્યારે તમિલનાડુમાં નવા 506 દર્દી સાજા થયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image008A71L.jpg

 

 

નવા સંક્રમિતોમાંથી 83.3% કેસ છ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી છે.

કેરળમાં દૈનિક ધોરણે નવા કેસોની સર્વાધિક સંખ્યા સતત નોંધાઇ રહી છે જ્યાં વધુ 5,610 દર્દી એક દિવસમાં સંક્રમિત થયા છે. ત્યારપછી, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં અનુક્રમે 2,628 અને 489 નવા કેસ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image0099X30.jpg

 

નવા નોંધાયેલા મૃત્યુમાંથી 81.05% દર્દીઓ છ રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં એક દિવસમાં સૌથી વધુ મૃત્યુઆંક (40) નોંધાયો છે. તે પછી, કેરળમાં વધુ 19 અને છત્તીસગઢમાં વધુ 8 મૃત્યુ નોંધાયા છે. દૈનિક ધોરણે માત્ર બે રાજ્યોમાં જ બે આંકડામાં મૃત્યુ નોંધાયા છે.

https://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image010ZUCK.jpg

 

****

 



(Release ID: 1695785) Visitor Counter : 188