પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ માર્ગ અકસ્માતમાં ભોગ બનેલા લોકો માટે સહાયને મંજૂરી આપી

Posted On: 01 FEB 2021 5:26PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કોરાપુટ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખની સહાયની મંજૂરી આપી છે.

અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને રૂપિયા 50,000ની સહાયની મંજૂરી આપી છે.

પ્રધાનમંત્રી કાર્યાલયે ટ્વીટ કર્યું હતું કે, "ઓડિશા કોરાપુટમાં દુ:ખદ માર્ગ અકસ્માતથી જીવ ગુમાવનારા લોકોના પરિજનોને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષમાંથી રૂપિયા 2 લાખ તથા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા વ્યક્તિને રૂપિયા 50,000ની સહાય આપવામાં આવશે.”

 

SD/GP 



(Release ID: 1694105) Visitor Counter : 142