પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ ચક્રવાત બુરેવીને કારણે પ્રવર્તમાન પરિસ્થિતિઓ અંગે કેરળના મુખ્યમંત્રી સાથે સંવાદ કર્યો

Posted On: 02 DEC 2020 8:11PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કેરળના મુખ્યમંત્રી શ્રી પિનરાય વિજયન સાથે રાજ્યમાં ચક્રવાતી તોફાન બુરેવીને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓ અંગે સંવાદ કર્યો છે.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "રાજ્યમાં ચક્રવાત તોફાન બુરેવીને કારણે સર્જાયેલી પરિસ્થિતિઓ અંગે કેરળના સીએમ શ્રી @vijayanpinarayi જી સાથે વાત કરી હતી. કેરળને મદદ કરવા માટે કેન્દ્ર તરફથી શક્ય તમામ સહયોગની ખાતરી આપી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના." 

Spoke to Kerala CM Shri @vijayanpinarayi Ji on the conditions prevailing due to Cyclonic Storm Burevi in the state. Assured all possible support from the Centre to help Kerala. Praying for the safety and well-being of those staying in the affected areas.

— Narendra Modi (@narendramodi) December 2, 2020

 

SD/GP/BT



(Release ID: 1677807) Visitor Counter : 133