પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો

Posted On: 15 NOV 2020 3:25PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ દિગ્ગજ બંગાળી અભિનેતા સૌમિત્ર ચેટર્જીના અવસાન અંગે શોક વ્યક્ત કર્યો હતો.

એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "શ્રી સૌમિત્ર ચેટર્જીનું અવસાન સિનેમાની દુનિયા, પશ્ચિમ બંગાળ અને ભારતના સાંસ્કૃતિક જીવન માટે એક મોટી ખોટ છે. પોતાના અભિનય દ્વારા તેમણે બંગાળી સંવેદનાઓ, ભાવનાઓ અને નીતિ નિયમોને મૂર્ત સ્વરૂપ પ્રદાન કર્યું છે. તેમના અવસાનથી અત્યંત દુઃખી છું. તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ."

 

SD/GP/BT



(Release ID: 1673055) Visitor Counter : 135