પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ અમદાવાદના ગોડાઉનમાં થયેલી આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી

Posted On: 04 NOV 2020 5:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદના ગોડાઉનમાં થયેલી આગની દુર્ઘટનામાં મૃતકો માટે દુઃખની લાગણી વ્યક્ત કરી છે.

પ્રધાનમંત્રીએ કહ્યું કે "અમદાવાદના ગોડાઉનમાં આગ લાગવાના કારણે થયેલી જાનહાનીથી દુઃખ થયું. શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે મારી સંવેદના. ઇજાગ્રસ્તો સ્વસ્થ થાય એ માટે પ્રાર્થના. તંત્ર દ્વારા અસરગ્રસ્તોને તમામ શક્ય સહાય પૂરી પાડવામાં આવી રહી છે."

 

SD/GP/BT



(Release ID: 1670086) Visitor Counter : 139