પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી સાથે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર અને ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાતચીત કરી

Posted On: 16 OCT 2020 8:55PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી શ્રી ઉદ્ધવ ઠાકરે સાથે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર અને ભારે વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિ અંગે વાતચીત કરી હતી.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, "મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેજી સાથે રાજ્યના કેટલાક ભાગોમાં પૂર અને ભારે વરસાદને કારણે ઉભી થયેલી પરિસ્થિતિ અંગે વાત કરી હતી. મારી સંવેદના અને પ્રાર્થનાઓ તે અસરગ્રસ્ત બહેનો અને ભાઈઓ સાથે છે. ચાલી રહેલા બચાવ અને રાહત કાર્યમાં કેન્દ્રના સમર્થન આંગે ફરીવાર બાહેધરી આપી છે.”

 

SD/GP/BT


(Release ID: 1665306)