પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ CSIRના કર્મચારીઓને સીએસઆઈઆરના સ્થાપના દિન નિમિત્તે શુભેચ્છા પાઠવી

Posted On: 26 SEP 2020 2:44PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ (સીએસઆઈઆર)ના કર્મચારીઓને તેના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છા પાઠવી છે.

એક ટ્વિટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, "સીએસઆઈઆર સાથે સંકળાયેલા તમામ લોકોને તેના સ્થાપના દિવસ નિમિત્તે શુભેચ્છાઓ. સીએસઆઇઆર ભારતમાં વૈજ્ઞાનિક સંશોધન અને નવીનતાને આગળ વધારવામાં મોખરે છે. તેઓ કોવિડ -19 સામે લડવામાં પણ મહત્ત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે. ભાવિ પ્રયાસો માટે સીએસઆઇઆરને શુભેચ્છાઓ."

 

SD/GP/BT



(Release ID: 1659294) Visitor Counter : 142