સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

છેલ્લા 24 કલાકમાં 9 લાખથી વધુ પરીક્ષણો કરવાની સાથે જ ભારતમાં પરીક્ષણોની કુલ સંખ્યા 3.9 કરોડ થઇ


ભારતે એક નવું સીમાચિન્હ પાર કર્યું – કુલ સાજા થયેલા કેસની સંખ્યા 25 લાખને પાર

સક્રિય કેસ અને સાજા થયેલા કેસની વચ્ચેનું અંતર લગભગ 18 લાખ જેટલું થયું

Posted On: 27 AUG 2020 1:58PM by PIB Ahmedabad

કોવિડ -19 પ્રતિસાદ અને સંચાલન માટે ભારતનો વ્યૂહાત્મક અભિગમ- “ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટ” - નિરંતર વહેલા નિદાન તરફ દોરીને સત્તાત્યના ધોરણે ઉચ્ચ સ્તરના પરીક્ષણના મુખ્ય સિદ્ધાંત પર ભાર મૂકે છે. સમયસર નિદાન યોગ્ય સારવાર માટે અગાઉથી પોઝિટીવ કેસને પૂરતા પ્રમાણમાં આઈસોલેટ અથવા હોસ્પિટલમાં દાખલ કરવાની વધારે તક પૂરી પાડે છે. પરિણામે નીચો મૃત્યુદર અને ઝડપથી સ્વસ્થ થવાની તક પૂરી પાડે છે.

સિદ્ધાંત મુજબ  ભારતના સંચિત પરીક્ષણોની સંખ્યા આજે લગભગ 3.9 કરોડ સુધી પહોંચી ગઈ છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 9,24,998 લાખ પરીક્ષણો કરવામાં આવ્યા હતા. આથી કુલ પરીક્ષણોની સંખ્યા  વધીને 3,85,76,510 થઈ ગઈ છે.

વધુ દર્દીઓ સ્વસ્થ થતાં અને હોસ્પિટલો અનેહોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ કેસના કિસ્સામાં)માંથી રજા મળતા ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા આજે 2.5 મિલિયનને પાર થઇ ગઈ છે. રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારો દ્વારા અસરકારક રીતે લાગુ કરાયેલ કેન્દ્રની આગેવાનીવાળી નીતિઓના અસરકારક અમલીકરણને કારણે 25,23,771 દર્દીઓ સ્વસ્થ થઇ શક્યા છે. છેલ્લા 24 કલાકમાં 56,013 કોવિડ દર્દીઓ સ્વસ્થ થયા છે. ભારતમાં કોવિડ -19ના દર્દીઓનો સાજા થવાનો દર આજે 76.24% રહ્યો છે.

ભારતમાં સક્રિય કેસ (7,25,991 જે સક્રિય તબીબી દેખરેખ હેઠળ છે) કરતાં લગભગ 18 લાખ (17,97,780) સાજા થયેલા દર્દીઓની સંખ્યા નોંધાઈ  છે. સતત વધી રહેલ સાજા થયેલ દર્દીઓની સંખ્યા એ સુનિશ્ચિત કરે છે કે, દેશનું વાસ્તવિક કેસ ભારણ અર્થાત સક્રિય કેસ એ કુલ પોઝિટીવ કેસના 21.93% છે.

આરોગ્ય મંત્રાલયના તબીબી વ્યવસ્થાપન પ્રોટોકોલમાં જણાવ્યા અનુસાર માનક દેખરેખના પ્રોટોકોલ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી, આઇસીયુ અને હોસ્પિટલોમાં વધુ કુશળ ડોકટરો, એમ્બ્યુલન્સ સેવાઓમાં સુધારો, નોન-ઇન્વેસિવ ઓક્સિજનનો ઉપયોગ અને તપાસની ઉપચારનો ઉપયોગે રાષ્ટ્રીય મૃત્યુદર (સીએફઆર)ને ઘટાડા તરફ દોરીને એ સ્તરને જાળવી રાખ્યું છે. જે આજે ઘટીને 1.83% ની સપાટીએ પહોંચી ગયો છે. રાષ્ટ્રીય સરેરાશ કરતા 10 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ સાજા થવાના દરની દ્રષ્ટિએ વધુ સારા છે.

Description: Image

ક્રમાંકિત પરીક્ષણ લેબોરેટરીના નેટવર્કના વિસ્તૃતિકરણ દ્વારા દેશભરમાં તેની વૃદ્ધિ શક્ય બની છે. સરકારી ક્ષેત્રમાં 993 લેબોરેટરી અને 557 ખાનગી લેબોરેટરી સહિત અત્યાર સુધીમાં કુલ લેબોરેટરીની સંખ્યા 1550 પર પહોંચી ગઈ છે. આમાં સામેલ છે:

  • રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 795 (સરકારી: 460 + ખાનગી: 335)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબ: 637 (સરકારી: 499 + ખાનગી: 138)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 118 (સરકારી: 34 + ખાનગી: 84)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

SD/GP/BT

 



(Release ID: 1648961) Visitor Counter : 267