સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં વધારે સંખ્યામાં કોવિડ-19માંથી દર્દીઓ સાજા થતા, સાજા થયેલા દર્દીઓની સંખ્યા 21 લાખને પાર


સાજા થવાનો દર સતત વધારા સાથે આજે 74%ને પાર

સક્રિય કેસ કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 3 ગણી વધુ

Posted On: 20 AUG 2020 3:01PM by PIB Ahmedabad

 વધુ દર્દીઓ સ્વસ્થ થતાં અને હોસ્પિટલો અને હોમ આઈસોલેશન (હળવા અને મધ્યમ લક્ષણોના કેસના કિસ્સામાં)માંથી રજા મળતા ભારતમાં કોવિડ-19માંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા આજે લગભગ 21 લાખ પાર પહોંચી ગઈ છે. સઘન પરીક્ષણની નીતિના અસરકારક અમલીકરણ, વ્યાપકપણે ટ્રેકિંગ અને અસરકારક રીતે સારવાર દ્વારા 20,96,664 દર્દીઓ સાજા થયા છે. નોન-ઇન્વેસિવ ઓક્સિજનનો ઉપયોગ, આઇસીયુ અને હોસ્પિટલોમાં વધુ કુશળ ડોકટરો અને સુધારેલી એમ્બ્યુલન્સ સેવાઓ સહિત ઇચ્છિત પરિણામ પ્રાપ્ત કરવા માનક દેખરેખના પ્રોટોકોલ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.

છેલ્લા 24 કલાકમાં 58,794 દર્દીઓ સાજા થતા ભારતમાં કોવિડ-19 દર્દીઓનો સાજા થવાનો દર લગભગ 74% (73.91%) સુધી પહોંચી ગયો છે, જે દર્શાવે છે કે, પાછલા ઘણા મહિનાઓથી દર્દીઓના સાજા થવાની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

ભારતમાં સક્રિય કેસ (6,86,395 કેસ સક્રિય તબીબી સારવાર હેઠળ છે) કરતા સાજા થયેલા દર્દીઓની સંખ્યા 14 લાખ (14,10,269)થી વધુ હોવાની નોંધણી થઈ છે. સાજા થયેલા દર્દીઓની વિક્રમજનક સંખ્યાએ સુનિશ્ચિત કર્યું છે કે, દેશમાં વાસ્તવિક કેસનું ભારણ અર્થાત સક્રિય કેસ છે, જેમાં ઘટાડો થયો છે અને જે વર્તમાનમાં કુલ પોઝિટીવ કેસના માત્ર 24.19% છે.

પરીક્ષણ, દેખરેખ અને સંપર્કોની ભાળ દ્વારા કોવિડના કેસની પ્રારંભિક ઓળખ તેમજ કોવિડ-19 દર્દીઓની સમયસર અને યોગ્ય તબીબી સારવારે એ સુનિશ્ચિત કર્યું છે કે, મૃત્યુદર વૈશ્વિક સરેરાશ કરતા ઓછો છે અને હજુ સતત ઘટી રહ્યો છે (વર્તમાનમાં આ દર 1.89% છે), પરંતુ સક્રિય કેસના અમુક દર્દીઓ વેન્ટિલેટર સપોર્ટ પર છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT   

 



(Release ID: 1647319) Visitor Counter : 220