સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારત એક દિવસમાં સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની યાદીમાં બીજી વખત વિક્રમી સપાટીએ પહોંચી ગયું


છેલ્લા 24 કલાકમાં 57,381 દર્દીઓ સાજા થયા

32 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 50%થી વધુ સાજા થવાનો દર નોંધાયો

ભારતમાં એક જ દિવસમાં સૌથી વધુ 8.6 લાખ કોવિડ નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું

Posted On: 15 AUG 2020 1:07PM by PIB Ahmedabad

સૌથી વધુ એક દિવસમા સાજા થયેલા દર્દીઓની સંખ્યા સતત નોંધાઈ રહી છે, ભારત એક જ દિવસમાં કોવિડ-19 કેસમાંથી સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યાની નોંધણી કરવામાં વધુ એક વિક્રમી સપાટી પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં 57,381 દર્દીઓ સાજા થતા તેમને રજા આપવામાં આવી છે.

આ રીતે સૌથી વધુ સાજા થયેલા દર્દીઓની સંખ્યાની દ્રષ્ટિએ ભારતમાં સાજા થવાનો દર 70% થઈ ગયો છે જે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં હજુ સતત વધારો સુનિશ્ચિત કરે છે. આ સિદ્ધિને આગળ વધારવા માટે, 32 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોએ 50%થી વધુ સાજા થવાનો દર નોંધવ્યો છે. 12 રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો રાષ્ટ્ર કક્ષાએ સાજા થવાના દરને વટાવી ગયા છે.

વધુ દર્દીઓ સ્વસ્થ થતાં હોસ્પિટલો અને હોમ આઇસોલેશન (હળવા અને મધ્યમ કેસોના કિસ્સામાં) માંથી રજા મળવાના કારણે કુલ સાજા થયેલા દર્દીઓની સંખ્યા આજે 18 લાખ (18,08,936) ને પાર કરી ગઈ છે. સાજા થયેલા દર્દીઓ અને સક્રિય કોવિડ-19 કેસો વચ્ચેનું અંતર વધ્યું છે અને 11 લાખ (આજે 11,40,716 ના સ્તરે છે) ને પાર થઇ ગયું છે.

આ કેન્દ્ર અને રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશોની સરકારોના સંયુક્ત પ્રયત્નોનું પરિણામ છે, જે સરેરાશ દૈનિક સાજા થવાની સંખ્યાને સતત વધારા તરફ દોરી જાય છે.

વર્તમાન સક્રિય કેસ (6,68,220) દેશના વાસ્તવિક કેસનું ભારણ છે. તે આજે કુલ પોઝિટિવ કેસોના 26.45% છે, જેમાં છેલ્લા 24 કલાકમાં વધુ ઘટાડો નોંધાયો છે. તે તમામ દર્દીઓ સક્રિય તબીબી દેખરેખ હેઠળ છે.

હોસ્પિટલોમાં સુધારેલ અને અસરકારક ક્લિનિકલ સારવાર, નિરીક્ષણ હેઠળ હોમ આઇસોલેશન, નોન-ઈન્વેસિવ ઓક્સિજન સપોર્ટનો ઉપયોગ, તાત્કાલિક અને સમયસર સારવાર માટે દર્દીઓને લઇ જવા માટે એમ્બ્યુલન્સની સુધારેલી સેવાઓ, નવી દિલ્હીની એઇમ્સ દ્વારા કોવિડ -19 દર્દીઓની સારવાર માટે સારવાર આપતા ડોકટરની ક્લિનિકલ મેનેજમેન્ટ કુશળતામાં સુધારો કરવા ટેલિ-પરામર્શ સત્રો દ્વારા તકનીકી માર્ગદર્શન આ બધું જ એક સાથે સતત પૂરું પાડવામાં આવે છે, જે દર્દીઓના સુદ્રઢ સંચાલનમાં પરિણમે છે. આથી સુનિશ્ચિત થયું છે કે, ભારતનો મૃત્યુદર (સીએફઆર) વૈશ્વિક સરેરાશથી નીચે જાળવી રાખવામાં આવ્યો છે. તે સતત ઘટાડા પર છે અને હાલમાં 1.94% છે.

છેલ્લા 24 કલાકમાં 8,68,679 પરીક્ષણો સાથે ભારતની ટેસ્ટ, ટ્રેક અને ટ્રીટની વ્યૂહરચનાએ એક વધુ સિદ્ધિ હાંસલ કરી છે. આનાથી 2.85 કરોડથી વધુના સંચિત પરીક્ષણો થયા છે 

ઉચ્ચ કક્ષાના અને વિકસતા પ્રતિસાદના પરિણામે એક પરીક્ષણ વ્યૂહરચના પરિણમી છે જેણે દેશમાં પરીક્ષણની પહોંચને સતત બહોળી કરી. આ વ્યૂહરચનાને આગળ વધારવા માટે, દેશમાં પરીક્ષણ લેબ નેટવર્કને સતત મજબૂત કરવામાં આવી રહ્યું છે જે આજે દેશમાં 1465 લેબોરેટરી ધરાવે છે; જેમાં સરકારી ક્ષેત્રમાં 968 લેબોરેટરી અને 497 ખાનગી લેબોરેટરી છે.આમાં શામેલ છે:

રીઅલ-ટાઇમ RT PCR આધારિત પરીક્ષણની લેબ: 751 (સરકારી: 448 + ખાનગી: 303)

TrueNat આધારિત પરીક્ષણની લેબ: 597 (સરકારી: 486 + ખાનગી: 111)

CBNAAT આધારિત પરીક્ષણની લેબ: 117 (સરકારી: 34 + ખાનગી: 83)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/BT

 



(Release ID: 1646090) Visitor Counter : 252