સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 56,383 દર્દીઓ સાજા થયા


સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા 17 લાખની નજીક પહોંચી

સતત ઘટાડા સાથે મૃત્યુદર વધુ સુધરીને 1.96% થયો

Posted On: 13 AUG 2020 2:44PM by PIB Ahmedabad

ભારતમાં એક દિવસમાં સૌથી વધુ 56,383 દર્દીઓ સાજા થતા એક નવી ઉંચાઇ પાર કરી. આ સંખ્યા સાથે જ કોવિડ-19 માંથી સાજા થયેલા દર્દીઓની કુલ સંખ્યા વધીને 17 લાખ (16,95,982) ની નજીક પહોંચી ગઈ છે.

કેન્દ્ર અને રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશોના સરકારોની સુસંગતતા, ધ્યાન કેન્દ્રિત અને સંયુક્ત પ્રયાસો અને લાખો કોરોના યોદ્ધાઓના સાથસહકારના પરિણામે સ્ટાન્ડર્ડ દેખરેખના પ્રોટોકોલ અભિગમના આધારે અસરકારક પરીક્ષણ, વ્યાપકપણે ટ્રેકિંગ અને અસરકારક સારવારના સફળ અમલીકરણથી હોમ આઇસોલેશનની દેખરેખ અને ગંભીર અને ક્રિટીકલ દર્દીઓનું અસરકારક કલીનીકલ વ્યવસ્થાપન સુનિશ્ચિત થયું છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો આ સાથે જ સાજા થવાનો દર 70% (70.77% આજે) ને પાર થઈ ગયો છે, જયારે કોવિડ-19 દર્દીઓના મૃત્યુદરમાં ઘટાડો થઈને 1.96% થયો છે અને જે સતત ઘટી રહ્યો છે.

સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં થયેલા વિક્રમી વધારાએ સુનિશ્ચિત કર્યું છે કે દેશ માટે વાસ્તવિક કેસનું ભારણ સક્રિય કેસ છે, જેમાં ઘટાડો થયો છે અને વર્તમાનમાં તે કુલ પોઝિટીવ કેસના 27.27% છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા સક્રિય કેસ (6,53,622) કરતા 10 લાખ વધારે થઈ ગઈ છે.  

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહ સૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

SD/GP/BT 



(Release ID: 1645495) Visitor Counter : 215