સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

દેશમાં કોવિડ-19માંથી 7 લાખ કરતાં વધારે દર્દીઓ સાજા થઇ ગયા


ભારતમાં મૃત્યદર 2.46%, જે દુનિયામાં સૌથી ઓછા મૃત્યુદરમાંથી એક

Posted On: 20 JUL 2020 2:44PM by PIB Ahmedabad

દેશમાં કોરોના વાયરસના ચેપથી થતા દર્દીઓના મૃત્યુદરમાં એકધારો ઘટાડો નોંધાઇ રહ્યો છે. આજે દેશમાં કોવિડના કારણે મૃત્યદર ઘટીને 2.46% નોંધાયો છે. દુનિયામાં સૌથી ઓછો મૃત્યદર ધરાવતા દેશોમાંથી એક ભારત છે. મધ્યમ અને ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓના અમલીકૃત દેખરેખના પ્રોટોકલના ધોરણો દ્વારા અસરકારક તબીબી વ્યવસ્થાપનના કારણે દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાનો ઊંચો દર સુનિશ્ચિત થઇ શક્યો છે. કોવિડ-19નો સામનો કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોની સરકારોને પૂરતા પ્રમાણમાં સહકાર આપવામાં આવી રહ્યો છે. આવી જ એક પહેલ નવી દિલ્હી ખાતે એઇમ્સ દ્વારા શરૂ કરવામાં આવેલું e-ICU છે. મૃત્યુદર ઘટાડવાના ઉદ્દેશ સાથે, એઇમ્સ દ્વારા 11 રાજ્યોમાં 43 મોટી હોસ્પિટલોને તેમના અનુભવોનું આદાનપ્રદાન કરીને તેમજ ICU દર્દીઓના તબીબી વ્યવસ્થાપનના નિષ્ણાતો પાસેથી ટેકનિકલ સલાહ પૂરી પાડીને તેમને જરૂરી માર્ગદર્શન અને સહકાર આપવામાં આવ્યો છે. આના કારણે ગંભીર સંભાળની જરૂર હોય તેવા દર્દીઓની સારવાર કરવામાં તેમની ક્ષમતામાં વૃદ્ધિ થઇ છે.

દેશમાં આજદિન સુધીમાં કોવિડ-19માંથી 7 લાખ કરતાં વધુ દર્દીઓ સાજા થઇ ગયા છે. આ કારણે હાલમાં કોવિડના સક્રિય દર્દીઓ અને સાજા થઇ ગયેલા લોકોની સંખ્યાનો તફાવત પણ વધ્યો છે. સાજા થઇ ગયેલા દર્દીઓ (7,00,086)ની સંખ્યા હાલમાં સક્રિય દર્દીઓ કરતાં 3,09,627 વધારે છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 22,664 દર્દીઓ કોવિડ-19માંથી સાજા થઇ ગયા છે. હવે દેશમાં સાજા થવાનો દર 62.62% પર પહોંચી ગયો છે.

હાલમાં દેશમાં કોરોના વાયરસથી અસરગ્રસ્ત સક્રિય દર્દીઓની સંખ્યા 3,90,459 છે જેમને હોસ્પિટલો અને હોમ આઇસોલેશનમાં તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટેડ માહિતી માટે કૃપા કરીને આ વેબસાઇટની નિયમિત મુલાકાત લો: https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર: +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

DS/GP/BT



(Release ID: 1639907) Visitor Counter : 294