સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દર્દીઓ સાજા થવાનો દર 60%થી વધી ગયો

દૈનિક દર્દીઓ સાજા થવાની સંખ્યામાં ઝડપી વધારો: છેલ્લા 24 કલાકમાં 20,033 દર્દીઓ સાજા થયા

સક્રિય કેસોની સરખામણીએ સાજા થયેલા લોકોનો આંકડો 1.5 લાખથી વધારે

“ટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ” રણનીતિ અનુસરીને છેલ્લા 24 કલાકમાં 2.4 લાખથી વધુ પરીક્ષણો કરવામાં આવ્યા

Posted On: 03 JUL 2020 4:34PM by PIB Ahmedabad

આજે કેન્દ્રીય સચિવે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો સાથે કોવિડ-19 તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કર્યું હતું.

દેશમાં કોવિડ-19ના દર્દીઓ સાજા થવાના દરમાં એકધારો વધારો થઇ રહ્યો છે અને હવે સાજા થવાનો દર 60%થી વધી ગયો છે. આજે દર્દીઓ સાજા થવાનો દર 60.73% નોંધાયો હતો.

કોવિડ-19ના દર્દીઓના વહેલા નિદાન અને સમયસર તબીબી વ્યવસ્થાપનના કારણે દૈનિક કોવિડના કેસો સાજા થવાની સંખ્યા વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન, સાજા થયેલા લોકોની સંખ્યામાં ઝડપી વધારો થતા કુલ 20,033 દર્દીઓ કોવિડ-19માંથી મુક્ત થયા છે. સાથે દેશમાં કુલ 3,79,891 દર્દીઓ કોરોનામાંથી સાજા થઇ ગયા છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 2,27,439 સક્રિય કેસ છે અને તમામને તબીબી દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

સરકાર દ્વારા કોવિડ-19ના નિયંત્રણ અને નિરાકરણ માટે હાથ ધરવામાં આવેલા સંકલિત પ્રયાસોના કારણે સારા પરિણામો જોવા મળી રહ્યા છે અને સાજા થયેલા તેમજ સક્રિય કેસોનો તફાવત એકધારો વધી રહ્યો છે. આજે દેશમાં સાજા થયેલા દર્દીઓની સંખ્યા કોરોનાના સક્રિય દર્દીઓની સરખામણીએ 1,52,452 વધારે નોંધાઇ છે.

કોવિડ-19ના પરીક્ષણ માટે આવી રહેલા તમામ અવરોધો દૂર કરવા માટે અને રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ખૂબ વ્યાપક પ્રમાણમાં પરીક્ષણની સુવિધા ફેલાવવા માટે તાજેતરમાં લેવામાં આવેલા વિવિધ પગલાં સાથેટેસ્ટ, ટ્રેસ, ટ્રીટ” (પરીક્ષણ કરો, ટ્રેસ કરો, સારવાર કરો) રણનીતિનું પાલન કરવાથી, દરરોજ પરીક્ષણ કરવામાં આવતા સેમ્પલની સંખ્યામાં એકધારો વધારો થઇ રહ્યો છે અને અત્યાર સુધીમાં કુલ 93 લાખ કરતાં વધુ સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 2,41,576 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સાથે, દેશમાં અત્યાર સુધીમાં થયેલા કુલ પરીક્ષણનો આંકડો વધીને 92,97,749 સુધી પહોંચી ગયો છે.

દેશમાં કોવિડના પરીક્ષણ માટે લેબોરેટરીના નેટવર્કમાં સતત વિસ્તરણ કરવામાં આવી રહ્યું હોવાથી શક્ય બન્યું છે. ભારતમાં અત્યારે સરકારી ક્ષેત્રની 775 લેબોરેટરી અને ખાનગી ક્ષેત્રની 299 લેબોરેટરીઓ સાથે કોવિડ-19ના પરીક્ષણ માટે કુલ 1074 લેબોરેટરીઓ ઉપલબ્ધ છે. તેની વિગતો પ્રમાણે છે:

વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 579 (સરકારી: 366 + ખાનગી: 213)

• TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 405 (સરકારી: 376 + ખાનગી: 29)

• CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 90 (સરકારી: 33 + ખાનગી: 57)

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત અને અપડેટ માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

GP/DS



(Release ID: 1636180) Visitor Counter : 233