સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય

કોવિડ-19 અપડેટ્સ


દેશમાં અત્યાર સુધીમાં કોવિડ-19માંથી કુલ 2,13,830 દર્દીઓ સાજા થયા

દર્દીઓનો સાજા થવાનો દર વધીને 54.13% નોંધાયો

Posted On: 20 JUN 2020 3:35PM by PIB Ahmedabad

છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19ની બીમારીમાંથી 9,120 લોકો સાજા થઇ ગયા છે. સાથે, અત્યાર સુધીમાં દેશમાં કોરોના વાયરસના ચેપમાંથી કુલ 2,13,830 દર્દીઓ સાજા થઇ ગયા છે. દેશમાં કોરોના વાયરસમાંથી દર્દીઓના સાજા થવાનો દર સતત વધીને 54.13% સુધી પહોંચી ગયો છે.

હાલમાં સમગ્ર દેશમાં, કોવિડ-19ના 1,68,269 સક્રિય કેસ તબીબી દેખરેખ હેઠળ છે.

સમગ્ર દેશમાં કોવિડ-19ના પરીક્ષણ માટે સરકારી લેબોરેટરીની સંખ્યા વધારીને 715 અને ખાનગી લેબોરેટરીની સંખ્યા વધારીને 259 (કુલ 974 લેબોરેટરી) કરવામાં આવી છે. તેની વિગતો નીચે દર્શાવ્યા અનુસાર છે:

  • વાસ્તવિક સમયમાં RT PCR આધારિત પરીક્ષણની લેબોરેટરી: 543 (સરકારી: 350 + ખાનગી: 193)
  • TrueNat આધારિત પરીક્ષણની લેબોરેટરી: 356 (સરકારી: 338 + ખાનગી: 18)
  • CBNAAT આધારિત પરીક્ષણની લેબોરેટરી: 75 (સરકારી: 27 + ખાનગી: 48)

છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,89,869 સેમ્પલનું કોવિડ-19 માટે પરીક્ષણ કરવામાં આવ્યું છે જ્યારે અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કુલ 66,16,496 સેમ્પલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે.

કોવિડ-19 સંબંધિત ટેકનિકલ પ્રશ્નો, માર્ગદર્શિકાઓ અને સલાહસૂચનો અંગે પ્રમાણભૂત માહિતી માટે કૃપા કરીને વેબસાઇટની નિયમિત મુલાકાત લો : https://www.mohfw.gov.in/ અને @MoHFW_INDIA.

કોવિડ-19 સંબંધિત કોઇપણ ટેકનિકલ પ્રશ્નો technicalquery.covid19[at]gov[dot]in  પર અને અન્ય પ્રશ્નો

ncov2019[at]gov[dot]in અને @CovidIndiaSeva  પર મોકલી શકો છો.

જો કોવિડ-19 સંબંધિત કોઇપણ પ્રશ્ન હોય તો, કૃપા કરીને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના હેલ્પલાઇન નંબર : +91-11-23978046 અથવા 1075 (ટૉલ ફ્રી) પર કૉલ કરો. કોવિડ-19 અંગે રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશોના

હેલ્પલાઇન નંબરોની યાદી https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf પર ઉપલબ્ધ છે.

 

 

GP/DS



(Release ID: 1632909) Visitor Counter : 252