પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ આસામના મુખ્યમંત્રી સાથે બઘજાન આગ દુર્ઘટના બાબતે ચર્ચા કરી: તમામ પ્રકારે સહકાર આપવાની ખાતરી આપી

Posted On: 10 JUN 2020 4:30PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનેવાલ સાથે બઘજાન આગ દુર્ઘટના અંગે ચર્ચા કરી હતી અને કેન્દ્ર તરફથી તમામ પ્રકારે સહાય આપવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

પ્રધાનંમત્રીની કચેરીએ એક ટ્વીટમાં ટાંક્યું હતું કે, “પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આસામના મુખ્યમંત્રી શ્રી સર્વાનંદ સોનેવાલ સાથે બઘજાન આગ દુર્ઘટના અંગે ચર્ચા કરી હતી. પ્રધાનમંત્રીએ તેમને ખાતરી આપી હતી કે, કેન્દ્ર તરફથી તમામ પ્રકારે સહાય આપવામાં આવશે. સમગ્ર પરિસ્થિતિ પર ખૂબ નજીકથી દેખરેખ રાખવામાં આવી રહી છે.”

 

 

GP/DS



(Release ID: 1630895) Visitor Counter : 137