મંત્રીમંડળ

મંત્રીમંડળે પરપ્રાંતીયો/ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને અનાજની ફાળવણી માટે ‘આત્મનિર્ભર ભારત પેકેજ’ને મંજૂરી આપી

Posted On: 20 MAY 2020 2:23PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે કેન્દ્ર સરકારનાં ભંડારમાંથી અંદાજે 8 કરોડ પરપ્રાંતીયો/ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને બે મહિના માટે (મે અને જૂન, 2020) માટે નિઃશુલ્ક દર મહિને વ્યક્તિદીઠ 5 કિલોગ્રામ અનાજની ફાળવણી કરવાના નિર્ણયને કાર્યોત્તર મંજૂરી આપી છે.

પ્રકારની કામગીરીમાં અંદાજે રૂ. 2,982.27  કરોડની ખાદ્ય સહાય સંકળાયેલી હશે. આંતર-રાજ્ય પરિવહન તથા ચાર્જીસ અને ડિલરના માર્જિન/ડિલરના વધારાનાં માર્જિન માટે ખર્ચ આશરે રૂ. 127.25 કરોડ થશે, જેનું વહન સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર કરશે. મુજબ, ભારત સરકારની કુલ સહાય આશરે રૂ. 3,109.52 કરોડ થાય છે.

ફાળવણીથી કોવિડ-19ના કારણે આર્થિક પ્રવૃત્તિઓ બંધ થવાથી મુશ્કેલીમાં મૂકાઈ ગયેલા પરપ્રાંતીયો/ફસાઈ ગયેલા પરપ્રાંતીયોને પડતી હાડમારીમાં ઘટાડો થશે.

 

 

GP/DS



(Release ID: 1625351) Visitor Counter : 263