ઉપરાષ્ટ્રપતિ સચિવાલય

માનનીય ઉપરાષ્ટ્રપતિએ બુદ્ધપૂર્ણિમાની પૂર્વસંધ્યા પર દેશવાસીઓને શુભેચ્છા આપી

Posted On: 06 MAY 2020 4:03PM by PIB Ahmedabad

ભારતના ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ વૈંકયા નાયડુએ બુદ્ધપૂર્ણિમાના શુભ પ્રસંગે દેશવાસીઓને અભિનંદન આપ્યાં છે. તેમનો સંદેશ નીચે મુજબ છેઃ-

 “ભગવાન બુદ્ધની જન્મજયંતિ, બુદ્ધપૂર્ણિમાના પવિત્ર પ્રસંગે દેશવાસીઓનો શુભેચ્છા આપું છું.

સમ્યક આચરણમાં ભગવાન બુદ્ધએ પ્રશસ્ત કરેલા  અષ્ટાંગ માર્ગ અને વ્યવહારમાં પંચશીલના અનુસરણથી માનવતા સંસારના ચાર આર્ય સત્યોનું સમાધાન કરીને આધ્યાત્મિક પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે.

ભગવાન બુદ્ધનો સત્ય, શાંતિ અને કરુણાનો સંદેશ હંમેશા માનવતાનું માર્ગદર્શન કરતો રહેશે.

કોવિડ રોગચાળાના ગાળામાં ભગવાન બુદ્ધનો પ્રેમ અને કરુણાનો શાશ્વત સંદેશ વધારે પ્રાસંગિક છે કે આપણે સહિષ્ણુતા સાથે સમાજને સંગઠિત રાખીએ, સહાનુભૂતિના ભાવ સાથે જરૂરિયાતમંદોની શક્ય તમામ મદદ કરીએ. રોગચાળામાં પોતાની ચિંતા કર્યા વિના સમાજનાં સ્વાસ્થ્ય અને સુરક્ષાના પ્રહરીઓ પ્રત્યે કૃતજ્ઞતાનો ભાવ રાખીએ.

 

GP/DS

 



(Release ID: 1621590) Visitor Counter : 187