પ્રધાનમંત્રીનું કાર્યાલય

પ્રધાનમંત્રીએ બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા ઇરફાન ખાનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

Posted On: 29 APR 2020 6:00PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ  બહુમુખી પ્રતિભા ધરાવતા અભિનેતા ઇરફાન ખાનના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો.

પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, “ઇરફાન ખાનનું મૃત્યુ સિનેમા અને થિયેટરની દુનિયાને મોટી ખોટ છે. તેઓ વિવિધ માધ્યમોમાં તેમના વિવિધતાસભર અભિનય માટે હંમેશા યાદ રખાશે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકો સાથે મારી લાગણી છે. તેમના આત્માને શાંતિ મળે.”

GP/DS



(Release ID: 1619417) Visitor Counter : 101