કાર્મિક, લોક ફરિયાદ અને પેન્શન મંત્રાલય
પેન્શનમાં ઘટાડો કરવાનો હાલમાં કોઇ પ્રસ્તાવ નથી- સરકારે કહ્યું
प्रविष्टि तिथि:
19 APR 2020 12:38PM by PIB Ahmedabad
કાર્મિક, જાહેર ફરિયાદ અને પેન્શન મંત્રાલયના પેન્શન અને પેન્શનરોના કલ્યાણ વિભાગના ધ્યાનમાં આવ્યું છે કે, કોવિડ-19 મહામારીના કારણે ઉભી થયેલી વર્તમાન પરિસ્થિતિ અને આર્થિક પરિદૃશ્યને ધ્યાનમાં રાખીને એવી કેટલીક અફવાઓ ફરતી થઇ છે કે, સરકાર હાલમાં પેન્શનમાં ઘટાડો કરવા/ રોકવા અંગે ચિંતન કરી રહી છે. આવકનો એકમાત્ર આ સ્રોત ધરાવતા પેન્શનરો માટે આવી અફવાઓ ચિંતાનું કારણ બની છે.
સરકાર દ્વારા અગાઉ સ્પષ્ટતા કરવામાં આવી હતી, તેનો ફરી પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, હાલમાં પેન્શનમાં કપાત મૂકવાનો આવો કોઇ જ પ્રસ્તાવ નથી અને સરકાર આ સંબંધે વિચાર કરી રહી નથી. તેના બદલે, સરકાર પેન્શનરોની સુખાકારી અને કલ્યાણ માટે પ્રતિબદ્ધ છે.
GP/DS
(रिलीज़ आईडी: 1616045)
आगंतुक पटल : 249
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Telugu
,
Kannada
,
Malayalam