શ્રમ અને રોજગાર મંત્રાલય

પીએમજીકેવાય પેકેજના ભાગરૂપે ઇપીએફઓએ 15 દિવસમાં 3.31 લાખ કોવિડ-19ના દાવા સેટલ કર્યા આશરે રૂ. 950 કરોડની વહેંચણી કરી

Posted On: 16 APR 2020 5:48PM by PIB Ahmedabad

પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (પીએમજીકેવાય) પેકેજના ભાગરૂપે કોવિડ-19 રોગચાળાનો સામનો કરવા ઇપીએફ યોજનામાંથી વિશેષ રકમ ઉપાડવા માટે 28મી માર્ચ, 2020નાં રોજ જાહેર થયેલી જોગવાઈથી દેશનાં કામદાર વર્ગને સમયસર રાહત મળી છે.

કાર્યક્રમ શરૂ થયો ત્યારથી ફક્ત 15 દિવસમાં એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (ઇપીએફઓ) કુલ 3.31 લાખ ક્લેઇમમાં રૂ. 946.49 કરોડની રકમની વહેંચણી કરી છે. ઉપરાંત યોજના હેઠળ કરમુક્ત પીએફ ટ્રસ્ટ દ્વારા રૂ. 284 કરોડની વહેંચણી થઈ છે, જે તેમની વચ્ચે ટીસીએસ તરીકે જાણીતી છે.

જોગવાઈ અંતર્ગત ત્રણ મહિનાના મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થા સુધી નોન-રિફંડેબલ ઉપાડ અથવા ઇપીએફ ખાતામાં સભ્યની ક્રેડિટમાં 75 ટકા રકમ, બેમાંથી જે ઓછી હોય, સ્વીકાર્ય છે. સભ્ય ઓછી રકમ માટે અરજી કરી શકે છે. એડવાન્સ છે, જેના પર કરમુક્તિ મળતી નથી.

કટોકટી દરમિયાન ઇપીએફઓ એના સભ્યોને સેવા આપવા કટિબદ્ધ છે અને ઇપીએફઓ ઓફિસો મુશ્કેલ સ્થિતિ સંજોગોમાં પણ આવશ્યક સેવાઓની સાતત્યતા જાળવવા કાર્યરત છે. ઓનલાઇન સેવાઓ દ્વારા સુવિધાઓની ઉપલબ્ધતાથી લોકડાઉનનાં ગાળા દરમિયાન જરૂરિયાતમંદ લોકોને ઘણી રાહત મળી છે, જે હાલનાં કટોકટીના સમયમાં રાહતરૂપ છે.

 

GP/DS



(Release ID: 1615177) Visitor Counter : 165