વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય
કોરોનાવાયરસને અટકાવવા નાસિકા માર્ગ માટે જેલ વિકસાવવાના માટેના ભંડોળને વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગની મંજૂરી
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ પ્રૉ. આશુતોષ શર્માએ જણાવ્યું કે, “સુરક્ષાના પાસાઓનો સમાવેશ કરીને વિકસાવાયેલી આ નાસિકા જેલ વધુ સારી સુરક્ષા પુરી પાડશે.”
प्रविष्टि तिथि:
08 APR 2020 11:42AM by PIB Ahmedabad
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (DST)ની વૈધાનિક સંસ્થા, સાયન્સ એન્ડ એન્જીન્યરિંગ રિસર્ચ બોર્ડ (SERB), આઈઆઈટી મુંબઈના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોસાયન્સિસ અને બાયો એન્જીન્યરિંગ (DBB) ની એક ટેકનોલોજીને સહયોગ પૂરો પાડી રહી છે, જે કોવિડ-19 રોગ પેદા કરનારા નોવેલ કોરોનાવાયરસને નિષ્ક્રિય બનાવવામાં મદદરૂપ થશે.
આ હેતુ માટે જે ભંડોળ પ્રાપ્ત થશે તેનાથી ડિપાર્ટમેન્ટ ઑફ બાયોસાયન્સિસ અને બાયોએન્જીન્યરિંગ (DBB), આઈઆઈટી, મુંબઈ એક જેલ (ચીકણો અર્ધ ઘન પદાર્થ) વિકસાવશે, જે કોરોનાવાયરસના પ્રવેશ દ્વાર ગણાતા નાસિકા માર્ગમાં લગાવી શકાશે. આ સોલ્યુશનથી આરોગ્ય કર્મીઓની સલામતીનુ તો રક્ષણ થશે જ પણ સાથે-સાથે તેનાથી સામુદાયિક પ્રસાર (કોમ્યુનિટી ટ્રાન્સમિશન)માં પણ ઘટાડો થવા તરફ દોરી જશે એવી અપેક્ષા છે, જેનાથી આ રોગને અંકુશમાં લેવા માટે મદદ મળશે.
કોવિડ-19નુ ચેપી સ્વરૂપ હોવાના કારણે કોરોનાવાયરસના દર્દીની સંભાળ લેતા ડૉક્ટરો અને નર્સો સહિત હેલ્થ પ્રોવાઈડર્સને, ખાસ કરીને રોગનાં લક્ષણો પકડાયા ના હોય તેવા દર્દીનો ચેપ લાગવાનુ ભારે જોખમ રહેતુ હોય છે અને સાથે-સાથે રોગ ફેલાવાનુ પણ ભારે જોખમ રહેતુ હોય છે.
આ ટીમ કોવિડ-19 થવાનો એજન્ટ ગણાતા સાર્સ-કોરોનાવાયરસ-2ને ફેલાતો અટકાવવાનો પણ દ્વિપાંખીયો વ્યુહ હાથ ધરી રહી છે. મુખ્યત્વે આ વાયરસ ફેફસાંના યજમાન કોષિકાઓની અંદર પોતાના જેવા કોષ પેદા કરતો હોવાથી વ્યુહરચનાના પ્રથમ ઘટકમાં યજમાન કોષિકાઓની અંદર વાયરસ પેદા થવાની પ્રક્રિયા અંકુશમાં લેવાની રહેશે. આ પ્રક્રિયાને કારણે યજમાન કોષિકાઓની અંદર ચેપ ઘટશે , વાયરસ હજુ પણ સક્રિય રહેતા હોવાથી તેમને નિષ્ક્રિય બનાવવાની જરૂર રહેશે.
બીજુ, એમાં બોયોલોજીકલ મોલેક્યુલને દાખલ કરવામાં આવશે, જે ડિટર્જન્ટની જેમ જ સપડાયેલા વાયરસને નિષ્ક્રિય બનાવી દેશે. પ્રક્રિયા પૂરી થતાં આ અભિગમનો ઉપયોગ કરીને તેને જેલ તરીકે વિકસાવાશે. આ જેલને નાસિકા માર્ગના છીદ્રોમાં લગાવી શકાશે.
વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના સચિવ શ્રી આશુતોષ શર્માએ જણાવ્યું હતું કે, “આપણા આરોગ્ય કર્મીઓ અને આગળ આવીને કોરોનાવાયરસને રોકવા ઝઝૂમતા લોકો માટે સંપૂર્ણ સુરક્ષિત હોય તેમનું 200 ટકા રક્ષણ જરૂરી છે. નાસિકા માર્ગમાં ઉપયોગમાં લઇ શકાય એવા જેલ થકી સંરક્ષણનું એક વધારાનું મજબૂત લેયર તૈયાર થશે.”
આઈઆઈટી, મુંબઈના ડિપાર્ટમેન્ટ ઑફ બાયોસાયન્સિ એને બાયોએન્જીન્યરિંગ (DBB)ના પ્રૉ. કીરણ કોન્ડાબગીલ, પ્રૉ. રીન્તી બેનરજી, પ્રૉ. આશુતોષ કુમાર અને પ્રૉ. સમિત સેન આ પ્રોજેકટના હિસ્સારૂપ બની રહેશે. આ ટીમ વાયરોલોજી, સ્ટ્રકચરલ બાયોલોજી બાયોફિઝિક્સ, બાયોમટિરિયલ્સ અને ડ્રગ ડિલીવરીના ક્ષેત્રે નિપુણતા ધરાવે છે. આ સંશોધન આશરે 9 માસમાં તૈયાર થઈ જશે તેવી અપેક્ષા છે.
(વધુ માહિતી માટે પ્રૉ. કીરણ કોન્ડાબગીલનો kirankondabagil@iitb.ac.in, Mob: 9619739630 પર સંપર્ક કરો.)
GP/RP
(रिलीज़ आईडी: 1612239)
आगंतुक पटल : 304
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
Telugu
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada