સંરક્ષણ મંત્રાલય
કોરોનાવાયરસ (કોવિડ-19) સામેની લડાઇમાં ભારતીય વાયુ સેનાનો સતત સહકાર
Posted On:
07 APR 2020 6:29PM by PIB Ahmedabad
નોવલ કોરોનાવાયરસ સામે દેશ લડી રહ્યો છે ત્યારે ભારતીય વાયુ સેના દ્વારા રાજ્ય સરકારોને તબીબી પૂરવઠો પહોંચાડવા માટે માલસામાનનું પરિવહન કરીને તેમજ આ બીમારીના ફેલાવાને અસરકારક અને કાર્યદક્ષ રીતે નિયંત્રણમાં લાવવા માટે વિવિધ એજન્સીઓને સાથ આપીને આ લડાઇમાં પૂરતો સહકાર આપવામાં આવે છે.
છેલ્લા કેટલાક દિવસમાં ભારતીય વાયુ સેનાએ નોડલ પોઇન્ટ્સથી પૂર્વોત્તરમાં મણીપૂર, નાગાલેન્ડ અને ગંગટોક પ્રદેશો સુધી; તેમજ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં આવશ્યક તબીબી વસ્તુઓનો પૂરવઠો એરલિફ્ટ કર્યો છે. આ ઉપરાંત, 06 એપ્રિલ 2020ના રોજ An-32 એરક્રાફ્ટ દ્વારા ચેન્નઇથી ભૂવનેશ્વર સુધી ICMRના 3500 કિલો તબીબી ઉપકરણોના જથ્થાને પહોંચાડવામાં આવ્યો હતો. ઓડિશામાં પરીક્ષણની લેબ અને સુવિધા ઉભી કરવા માટે આ જથ્થો પહોંચાડવામાં આવ્યો હતો.
ભારતીય વાયુ સેનાએ કોવિડ-19 સામેની લડાઇમાં સક્રીયપણે સહાયક કામગીરીના ભાગરૂપે તબીબી પૂરવઠા અને ઉપકરણો ટૂંકા સમયમાં જ વાયુ માર્ગે પહોંચાડવા નોડલ પોઇન્ટ્સ પર પોતાના એરક્રાફ્ટ તૈનાત કર્યા છે.
RP
(Release ID: 1612071)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Tamil
,
Telugu
,
Kannada